September 17, 2024

મોદી સરકારની મોટી જાહેરાત: 70 વર્ષથી વધુ વયના નાગરિકોને રૂ.5 લાખ સુધીની મફત સારવાર

Cabinet Briefing: કેન્દ્ર સરકારે બુધવારે વરિષ્ઠ નાગરિકો માટે મોટી જાહેરાત કરી છે. સરકારે કહ્યું કે હવે 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને ‘આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના’ હેઠળ વીમા કવચ આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ યોજના હેઠળ લગભગ 4.5 કરોડ પરિવારોને આવરી લેવામાં આવશે. જેમાં છ કરોડ વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને નવું કાર્ડ આપશે. યોજના હેઠળ, વરિષ્ઠ નાગરિકો કે જેઓ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના છે અને યોજના હેઠળ પહેલાથી જ આવરી લેવાયેલા પરિવારોના છે તેઓને પ્રતિ વર્ષ પાંચ લાખ રૂપિયા સુધીનું વધારાનું વીમા કવચ મળશે. આ વધારાનું વીમા કવચ 70 વર્ષથી ઓછી ઉંમરના નાગરિકોને લાગુ પડશે નહીં.

સૌથી ગરીબ 40 ટકા લોકો માટે 10 લાખ રૂપિયાનું વીમા કવચ
આયુષ્માન ભારત વિશ્વની સૌથી મોટી વીમા યોજના છે. આ અંતર્ગત હાલમાં સૌથી ગરીબ 40 ટકા લોકોને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનું કવર આપવામાં આવે છે. હવે આ યોજના 70 વર્ષ અને તેથી વધુ વયના નાગરિકોને જ આવરી લેશે. ગરીબ દર્દીઓનો કવરેજ વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે કહ્યું કે એક જ પરિવારના વરિષ્ઠ નાગરિકોને 5 લાખ રૂપિયાનું વીમા કવરેજ વહેંચવામાં આવશે. જો એક પરિવારમાં બે વરિષ્ઠ નાગરિકો હોય તો 5 લાખ રૂપિયાનું કવરેજ બંને વચ્ચે વહેંચવામાં આવશે.

તેમણે કહ્યું કે જેઓ પહેલાથી જ CGHS, ECIC જેવી સરકારી યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવ્યા છે તેઓ કાં તો તેમની હાલની યોજના ચાલુ રાખી શકે છે અથવા આયુષ્માન ભારત યોજના પર સ્વિચ કરી શકે છે. આ યોજના ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે અને વરિષ્ઠ નાગરિકોને નોંધણી માટે વિનંતી કરવામાં આવશે.