July 3, 2024

કલકત્તા હાઈકોર્ટના વકીલો નવા ફોજદારી કાયદાઓ સામે કર્યો વિરોધ, કાયદાઓ ક્રૂર ગણાવ્યા

Calcutta HC lawyers Protested: કલકત્તા હાઇકોર્ટ અને પશ્ચિમ બંગાળની જિલ્લા અદાલતોના કેટલાક વકીલોએ સોમવારે ત્રણ નવા ફોજદારી કાયદાઓ સામે વિરોધ કરવા બાર કાઉન્સિલના એલાનને ધ્યાનમાં રાખીને ન્યાયિક કામકાજથી દૂર રહ્યા હતા. નવા કાયદાઓને ‘જનવિરોધી, અલોકતાંત્રિક અને ક્રૂર’ ગણાવતા બાર કાઉન્સિલે પશ્ચિમ બંગાળ અને આંદામાન અને નિકોબાર ટાપુઓના વકીલોને 1 જુલાઈને ‘બ્લેક ડે’ તરીકે મનાવવા વિનંતી કરી હતી.

ન્યાયિક કાર્યથી દૂર રહેતા વકીલોએ ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 2023 અને ભારતીય પુરાવા અધિનિયમ (BSA) 2023ના વિરોધમાં તેમના હાથ પર કાળા બેજ પહેર્યા હતા. આ ત્રણ કાયદા આજથી સમગ્ર દેશમાં લાગુ થઈ ગયા છે. આ ત્રણ કાયદાઓએ અનુક્રમે બ્રિટિશ યુગના કાયદા ભારતીય દંડ સંહિતા (IPC), કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC) અને ભારતીય પુરાવા અધિનિયમનું સ્થાન લીધું છે.

1લી જુલાઈ બ્લેક ડે તરીકે ઉજવવામાં આવે છે
બાર કાઉન્સિલે ગયા અઠવાડિયે પશ્ચિમ બંગાળ અને આંદામાન અને નિકોબાર ટાપુઓની અદાલતોમાં તાલીમ લેતા વકીલોને નવા કાયદાના વિરોધમાં સોમવારે ન્યાયિક કાર્યોથી દૂર રહેવા માટે પૂછતો ઠરાવ દાખલ કર્યો હતો. બાર કાઉન્સિલના આ પ્રસ્તાવ સામે એક વ્યક્તિએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી કરતા શુક્રવારે કોર્ટે કહ્યું કે કોઈને પણ હડતાળ પર જવા અથવા કામ રોકવા માટે દબાણ કરી શકાય નહીં.

વકીલો વાદીઓ અને પ્રતિવાદીઓ માટે કામ કરે છે તેની નોંધ લેતા, હાઇકોર્ટે નિર્દેશ આપ્યો કે આ ઠરાવને વકીલોને ન્યાયિક કામગીરીથી અંતર જાળવવાના આદેશ તરીકે સમજવામાં આવશે નહીં. પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલના અધ્યક્ષ અશોક કુમાર દેબે જણાવ્યું હતું કે આ સંબંધમાં આગળની કાર્યવાહી નક્કી કરવા માટે ત્કાલિક બેઠક યોજવામાં આવશે.