વસ્ત્રાલમાં આતંક મચાવનારા લુખ્ખાઓનાં ઘર પર ફરશે દાદાનું બુલડોઝર

અમદાવાદઃ વસ્ત્રાલમાં કેટલાક અસામાજિક તત્વોના આતંકની ઘટનાના 24 કલાકમાં જ સરકારે મોટો નિર્ણય લીધો છે. તમામ આરોપીઓનાં ઘર પર બુલડોઝર ફેરવવાનો આદેશ આપી દીધો છે. પોલીસ કમિશનર સહિત તમામ પોલીસ અધિકારીઓ આરોપીઓનાં ઘરે પહોંચ્યા છે.
દાદાના રાજમાં નહિં ચાલે દાદાગીરી.
અમરાઇવાડીમાં હવે કોઈ પણ ક્ષણે ચાલશે બુલડોઝર.
દબાણ હટાવવાની કામગીરીને લઈને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત.#Vastral | #Demolition | #બુલડોઝર | @Bhupendrapbjp | @sanghaviharsh
Report : @Journ_Ashutosh
Anchor : @theyashbhatt pic.twitter.com/PC0fiocnfq— NewsCapital Gujarat (@NewsCapitalGJ) March 15, 2025
આ મામલે પોલીસ કમિશનરે જણાવ્યુ હતુ કે, આરોપીઓએ રામોલ વિસ્તારમાં જાહેર રોડ પર તોડફોડ કરી હતી. પંકજ ભાવસાર નામનો આરોપી પાસામાં જઈ આવ્યો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે. આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. એક જુવેનાઇલ છે અને 13 આરોપીઓ છે. તેમને 4 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. જો કોઈ આવું ફરીવાર કરશે તો પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યુ છે કે, 14માંથી 7 આરોપીઓનાં ઘર ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે. ત્યારે તેમના ઘર પર હવે બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો છે.