June 30, 2024

ખામોશ…! સોનાક્ષી સિન્હા-ઝહીર ઈકબાલના લગ્ન પર શત્રુઘ્ન સિન્હાએ કરી લોકોની બોલતી બંધ

મુંબઈ: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નને હવે માત્ર 3 દિવસ બાકી છે. આ કપલ 23 જૂને તેમના એક થવાની જાહેરાત કરવા જઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે સોનાક્ષી અને ઝહીર 23 જૂને લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે, ઘણા મોટા સ્ટાર્સે તેમના લગ્નની પુષ્ટિ કરી છે. પરંતુ ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સોનાક્ષી અને ઝહીર 23 તારીખે રજિસ્ટર્ડ લગ્ન કરવા જઈ રહ્યા છે, ત્યારબાદ સાંજે તેઓએ તેમના તમામ ખાસ મહેમાનો માટે એક ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું છે.

લગ્નના સમાચારો વચ્ચે એવી પણ ચર્ચા થઈ હતી કે સોનાક્ષી સિન્હાના પિતા અને દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિંહા તેમની પુત્રીના આ નિર્ણયથી નારાજ છે અને માનવામાં આવી રહ્યું હતું કે તેઓ સોનાક્ષીના ખાસ દિવસનો ભાગ નહીં બને. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીના પિતા શત્રુઘ્ન સિન્હાએ શેર કર્યું કે તેઓ લગ્નમાં હાજરી આપશે અને તેને પ્રેમ અને આશીર્વાદ આપશે. અભિનેતાના આ નિવેદન બાદ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

આ પણ વાંચો: મક્કા ગયેલા 68 ભારતીય હજ યાત્રીઓની મોત તો અનેક ગુમ, મરનારનો આંકડો 600ને પાર

સોનાક્ષીના લગ્નમાં પિતા શત્રુઘ્ન સિન્હા હાજરી આપશે
શત્રુઘ્ન સિન્હાએ માત્ર સોનાક્ષી અને ઝહીરના લગ્નના સમાચારની પુષ્ટિ જ નથી કરી. પરંતુ તેમણે એ પણ કહ્યું કે તે લગ્નમાં હાજરી આપશે. એક ઈન્ટરવ્યુમાં શત્રુઘ્ન સિંહાએ આ ફેક ન્યૂઝની અવગણના કરી હતી કે તેઓ ઝહીર ઈકબાલ સાથે તેમની પુત્રી સોનાક્ષી સિંહાના લગ્નમાં હાજરી નહીં આપે.

શત્રુઘ્ન સિન્હા માટે સોનાક્ષીની ખુશી પહેલા છે
પોતાના નિવેદનમાં શત્રુઘ્ન સિંહાએ કહ્યું, “મને કહો, આ કોનું જીવન છે? આ મારી એકમાત્ર પુત્રી સોનાક્ષીનું જીવન છે. જેના પર મને ખૂબ ગર્વ છે અને હું તેને ખૂબ પ્રેમ કરું છું. તે મને તેની શક્તિનો આધારસ્તંભ કહે છે. હું લગ્નમાં ચોક્કસ હાજર રહીશ. હું કેમ ના જવું” અભિનેતાના કહેવા પ્રમાણે સોનાક્ષીની ખુશી તેના માટે સૌથી પહેલા આવે છે અને તે તેના પિતા માટે પણ એવું જ વિચારે છે. શત્રુઘ્ન સિન્હાએ વધુમાં કહ્યું કે તેમને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો પૂરો અધિકાર છે.