September 16, 2024

“BJP ઈચ્છે કે ન ઈચ્છે, જમ્મુ કાશ્મીરનો રાજ્યનો દરજ્જો આપવો જ પડશે’, રાહુલ ગાંધીનો હુંકાર

Jammu Kashmir Poll 2024: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી બુધવારે 4 સપ્ટેમ્બરના રોજ જમ્મુ કાશ્મીરના રામબન પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ અહીંના ગુલ વિસ્તારના સાંગલદાનમાં એક રેલીને સંબોધિત કરી હતી. જેમાં તેમણે નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

રેલીને સંબોધતા રાહુલે કહ્યું કે હું તમારું સ્વાગત કરું છું. તમે જોયું જ હશે કે ભાજપ, RSSના લોકો આખા દેશમાં હિંસા અને ડર ફેલાવી રહ્યા છે. લડાઈ નફરત અને પ્રેમ વચ્ચે જ છે. અમે નારો આપ્યો છે કે નફરતના બજારમાં મોહબ્બતની દુકાન ખોલીશું. નફરતને પ્રેમ દ્વારા પરાજિત કરી શકાય છે. પહેલા નરેન્દ્ર મોદી છાતી કાઢીને આવતા હતા અને હવે તેઓ ખભા ઝુકાવીને આવે છે.

‘નરેન્દ્ર મોદીએ આખા દેશમાં બેરોજગારી ફેલાવી’
પ્રથમ વખત ભારતીય રાજ્યમાંથી લોકોના અધિકારો છીનવી લેવામાં આવ્યા. જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો આપવો પડશે. તમારા અધિકારો છીનવાઈ રહ્યા છે. અમે દેશને બંધારણ આપ્યું છે. તમારા લોકોની સંપત્તિ તમારી પાસેથી છીનવીને બહારના લોકોને આપવામાં આવી રહી છે. અમે ઇચ્છતા હતા કે ચૂંટણી પહેલા તમને રાજ્યનો દરજ્જો મળે અને પછી ચૂંટણી યોજાય, પરંતુ ભાજપ આમ નથી ઈચ્છતી. ભાજપ ઇચ્છે કે ન ઇચ્છે, અમે એટલું દબાણ ઊભું કરીશું કે ભાજપને રાજ્યનો દરજ્જો પાછો આપવો જ પડશે. મોદીજીએ સમગ્ર દેશમાં બેરોજગારી ફેલાવી છે. તમે અદાણીનું નામ સાંભળ્યું છે? તે મોદીજીના મિત્ર છે જે કોઈ પણ નાના કામ કરે છે તેના માટે મોદીજી GST લાવે છે.

જ્યાં તેઓ નફરત ફેલાવશે, ત્યાં અમે…
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે જ્યાં તેઓ નફરત ફેલાવશે, ત્યાં અમે પ્રેમની દુકાન ખોલીશું. આ ખૂબ જ સુંદર જગ્યા છે, હું ચૂંટણી પછી ચોક્કસ અહીં આવીશ. જો કોંગ્રેસ પાર્ટીનો કોઈ કાર્યકર મારી પાસે આવીને કહે કે હું ભગવાન સાથે વાત કરું છું તો હું તેને સમજાવીશ કે બહાર વાત ન કરવી નહીંતર નુકસાન થશે… પરંતુ દેશના વડાપ્રધાન જ આવું કહે છે. તેઓ કહે છે કે તેઓ નોનબાયોલોજિકલ છે અને બાકીનું ભારત બાયોલોજિકલ છે. પીએમ કહે છે કે હું ભગવાન સાથે સીધી વાત કરું છું. ભગવાને પણ આ ચૂંટણીમાં તેમને સીધું કહ્યું.

આ પણ વાંચો: કોંગ્રેસના નેતાનું વિવાદાસ્પદ નિવેદન- મેકઅપ ખરાબ થઈ જાય તો તો ખબર ન પડે કે કંગના છે કે તેની માતા…

‘અમે નરેન્દ્ર મોદીને માનસિક રીતે ઉડાવી દીધા છે’
લોકસભા ચૂંટણીએ નરેન્દ્ર મોદીને સીધો સંદેશ આપ્યો કે ભગવાન સામાન્ય જનતા સાથે વાત કરે છે અને ભગવાન સામાન્ય જનતાના અભિપ્રાય સાંભળીને કામ કરે છે. અમે નરેન્દ્ર મોદીને સાયકોલોજીકલી હટાવી દીધા છે. જ્યારે હું સંસદમાં તેમની સામે બેઠો ત્યારે તેમનો આત્મવિશ્વાસ ગાયબ થઈ ગયો હતો. તેમણે પહેલા કહ્યું હતું કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી નથી થાય. અમે કહ્યું હતું કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થશે, ત્યારપછી હવે RSSના લોકો કહી રહ્યા છે કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થશે. હવે થોડો સમય બાકી છે, મોદી સરકાર હટાવી દેશે.