May 19, 2024

સૂર્યકુમાર યાદવ IPLમાં દિલ્હી કેપિટલ્સ સામે મેદાનમાં ઉતરશે?

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સના સૂર્યકુમાર યાદવની વાપસી તમામ ચાહકો જોઈ રહ્યા છે. ટીમના ખેલાડીઓની સાથે ક્રિકેટ ચાહકો પણ તેમની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. 7 તારીખે ફરી મુંબઈ ઈન્ડિયન્સની મેચ છે, ત્યારે હજુ પણ તે ચિત્ર સ્પષ્ટ થયું નથી કે તે આગામી મેચ રમશે નહીં.

યાદવની વાપસી
સતત હારનો સામનો કરી રહેલા મુંબઈ ઈન્ડિયન્સને હવે સૂર્યકુમાર યાદવની રાહ છે. આગામી દિવસોમાં હવે તેને લઈને અપડેટ્સ આવે છે કે નહીં તે જોવાનું રહ્યું. જોકે હાલ તો તેના વિશે કોઈ માહિતી નથી કે કયારે તે વાપસી કરી છે. અત્યાર સુધી મુંબઈને સતત 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો: IPL 2024: આજે SRH અને CSK વચ્ચે ‘મહામુકાબલો’

સર્ટિફિકેટ આપવામાં આવ્યું
હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં અત્યાર સુધી ત્રણ વાર હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેના કારણે મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. હદ ત્યારે પહોંચી જ્યારે મુંબઈની ટીમને વાનખેડે સ્ટેડિયમમાં ઘર આંગણે જ હારવાનો વારો આવ્યો હતો. જોકે મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. સૂર્યકુમાર યાદવને NCA દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અને તે રમવા માટે તૈયાર છે. સૂર્ય તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં આજે એટલે કે 5 એપ્રિલની સાંજે જોડાઈ શકે છે.

ટીમની બહાર
સૂર્યા ઈજાના કારણે લાંબા સમયથી મેચથી બહાર છે. જેના કારણે તે IPLની શરૂઆતની મેચ રમી શક્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કે સૂર્યા મુંબઈમાં જોડાશે અને ટીમના પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવાનો છે. જેના કારણે એ સમયે તેની તપાસ કરવામાં આવશે કે તે સંપૂર્ણપણે ફિટ છે કે નહીં. જો તે સમયે એવું લાગે તે અનફિટ છે તો તે આગામી મેચ પણ રમી નહીં શકે. જેના કારણે પ્રેક્ટિસ સેશન પણ તેના માટે બહુ ખાસ છે. જોકે તેમના ચાહકોને આશા છે કે તે વહેલામાં વહેલી તકે ટીમમાં પરત ફરે.