September 10, 2024

ગુજરાતમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત અંદાજે 40થી 50 લાખ તિરંગાનું થશે વિતરણ

ગાંધીનગર: આગામી 15 ઓગષ્ટ સ્વતંત્રતા દિવસને લઈ દેશ આખામાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે સમગ્ર દેશમાં 8 થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન ચાલશે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રીએ પોતાના નિવાસ સ્થાનેથી તિરંગો લહેરાવી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. સમગ્ર ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 40થી 50 લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના 4 મુખ્ય શહેરોમાં તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં 8 થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 8 ઓગસ્ટ, ગુરુવારે સવારે પોતાના નિવાસ સ્થાનની અગાસીમાં તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સ્વયં સહભાગી થયા છે અને રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો તેમણે પ્રારંભ કરાવ્યો છે.

સમગ્ર ગુજરાતમાં આ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અંદાજે 40 થી 50 લાખ તિરંગાનું વિતરણ થવાનું છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે.

આ પણ વાંચો: શ્રાવણ માસમાં સાપુતારા હિલ સ્ટેશન સ્થિત નાગેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી

આ વર્ષે હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા રેલી, તિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કોન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી તેમજ તિરંગા મેલા જેવા બહુવિધ કાર્યક્રમો રાજ્યમાં યોજાવાના છે. આ હર ઘર તિરંગા અભિયાન 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે જન જનમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને દેશદાઝ જગાવનારું રાષ્ટ્ર ચેતના અભિયાન બને તેવી નેમ રાખવામાં આવી છે.