September 28, 2024

એક સમયે ભારતમાં ચલણમાં હતી 10,000 રૂપિયાની નોટ; જાણો કેમ બંધ થઈ ગઈ?

આજે ભારતમાં સૌથી મોટી બેંક નોટ 500 રૂપિયાની છે. 500 રૂપિયાની આ નોટ 2016માં નોટબંધી બાદ બહાર પાડવામાં આવી હતી. તે સમયે ભારતમાં 2000 રૂપિયાની નોટ પણ ચલણમાં આવી હતી પરંતુ થોડા સમય બાદ 2000 રૂપિયાની નોટ પણ બંધ કરી દેવામાં આવી હતી. પરંતું શું તમે જાણો છો કે, એક સમય એવો હતો જ્યારે દેશમાં 5000 અને 10000 રૂપિયાની નોટો પણ ચલણમાં હતી. ભારતના નાણાકીય ઇતિહાસના આ પ્રકરણ વિશે બહુ ઓછા લોકો જાણે છે જે દેશના નાણાકીય વિકાસ વિશે જણાવે છે.

10000 રૂપિયાની નોટ ક્યારે શરૂ કરવામાં આવી?
ભારતની 10000 રૂપિયાની નોટનો ઈતિહાસ આઝાદી પહેલાનો છે. વર્ષ 1938માં ભારતીય રિઝર્વ બેંક (RBI) એ તેની પ્રથમ 10,000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. દેશના ઈતિહાસમાં છપાયેલી આ સૌથી વધુ કિંમતની નોટ હતી. આ નોટનો ઉપયોગ મુખ્યત્વે મોટા વ્યવહારો માટે વેપારીઓ કરતા હતા. આ નોટો સામાન્ય ઉપયોગમાં ન હતી.

પરંતુ જાન્યુઆરી 2016માં બ્રિટિશ સરકારે આ નોટને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. અંગ્રેજો દ્વારા લેવામાં આવેલા આ પગલાનો હેતુ કાળા બજારના વેપાર અને આ નોટોના સંગ્રહને રોકવાનો હતો, જે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ખૂબ જ પ્રચલિત બની હતી. જોકે વર્ષ 1954માં 10,000 રૂપિયાની આ નોટ ફરી પાછી ખેંચી લેવામાં આવી હતી.

ચલણમાં આવી પરંતુ પછી બંધ કરી દેવામાં આવી
આ નોટ 1954માં ફરી ચલણમાં આવી હતી પરંતુ વર્ષ 1978માં આ નોટની સફરમાં મોટો વળાંક આવ્યો જ્યારે ભારત સરકારે તેને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લીધો. આ નોટબંધીની જાહેરાત કરતી વખતે તત્કાલિન વડાપ્રધાન મોરારજી જેસાઈએ કહ્યું હતું કે મોટા પ્રમાણમાં નાણાનો ગેરકાયદેસર ઉપયોગ અટકાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું હતું.

હકીકતમાં આટલી ઊંચી કિંમતની બેંક નોટોનો કાળાબજારમાં વધુ ઉપયોગ થવા લાગ્યો હતો. સામાન્ય લોકો તેનો ઉપયોગ કરતા ન હતા. આવી સ્થિતિમાં ભારત સરકારે નિર્ણય લીધો કે આ નોટોને હટાવવાથી નાણાકીય ગેરરીતિઓને રોકવામાં મદદ મળશે. તમને જણાવી દઈએ કે આરબીઆઈના જણાવ્યા અનુસાર 31 માર્ચ 1976ના રોજ ચલણમાં કુલ રોકડ 7144 કરોડ રૂપિયા હતી.