મોદીની વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા શરૂ, વસ્ત્રાલની ક્રિસ્ટલ સ્કૂલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

Ahmedabad News: PM નરેન્દ્ર મોદીની વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા શરૂ કરી દીધી છે. ત્યારે વસ્ત્રાલની ક્રિસ્ટલ સ્કૂલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની 40 હજાર શાળાઓમાં લાઈવ સ્ટ્રીમીંગ કરવામાં આવ્યું છે. જેમાં શાળાઓમાં 61.50 લાખ વિધાર્થીઓ તેનું લાઇવ જોશે. ધો 10 અને 12 નાં 14.30 લાખ વિધાર્થીઓ પણ જોડાયા છે. આ સમયે ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. આવો જાણીએ શું કહ્યું ભૂપેન્દ્ર પટેલે.

શું કહ્યું ભૂપેન્દ્ર પટેલે
આજે વિશ્વકર્મા જયંતી છે. આપ સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ. એક થી 9 ધોરણ સુધી પરીક્ષાઓ આપી જ હોય જેના કારણે બોર્ડની પરિક્ષા વાળા વિદ્યાર્થીઓએ ટેન્શન ખાસ લેવું નહીં. આપણા PM એક એવી વ્યક્તિ છે જેમને કોઈ પણ મુશ્કેલી હોય તો એનો સચોટ ઉત્તર આપે છે. અમને ઘણી મુશ્કેલી આવે તો અમે એમની પાસેથી સચોટ ઉત્તર મળે છે. એમણે ભારતને દરેક કક્ષાએ ગૌરવ અપાવ્યા છે. પ્રધાનમંત્રીની આઠમી વખત પરીક્ષા પે ચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા, કટકમાં ભારતનું સૌથી મોટું ‘ટેન્શન’ થયું દૂર

સારા માર્કસ સાથે ઉતીર્ણ થાવ તેવી શુભેચ્છા
વિધાર્થીઓ એ સમય નક્કી કરી દેવો જોઇએ કે કેટલા વાગે ટીવી જોવું, રમવા જવું. નથી ભણ્યા એટલે હોશિયાર નથી એવું ન માનવું જોઈએ. જે ભણ્યા નથી એ લોકો ને નકશો આપો તો બિલ્ડિંગ બનવી આપશે..ડિપ્રેશન લાવવાનું શું હોય. સામે વાળા ને જોઈને આપને ચિંતા નઇ કરવાની. વિકસિત ભારતમાં તમે સહભાગી થવાના છો. સારા માર્કસ ઉતીર્ણ થાવ તેવી શુભેચ્છા.