મારામારી કેસમાં પૂર્વ DGP કુલદીપ શર્મા દોષિત, જાણો 1984નો આ કેસ

Ahmedabad: પૂર્વ DGP કુલદીપ શર્માને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 41 વર્ષ જૂના મારામારીના કેસમાં 3 મહિનાની સજા કોર્ટે સંભળાવી છે. 1984માં કોંગ્રેસ નેતાને માર મારવાના કેસમાં આ ચુકાદો આવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના, કાર ચાલકે રાહદારીઓને અડફેટે લઈ ભાગવાનો કર્યો પ્રયાસ

શું હતો મામલો?

તારીખ 6 મે 1984નો દિવસ. મંધરા એટલે કોંગ્રેસના રાજકીય નેતા અબ્દુલ્લા હાજી ઈબ્રાહીમ એસપી ઓફિસમાં તત્કાલિન ઓફિસર કુલદીપ શર્માને મળવા ગયા હતા. જ્યાં કુલદીપ શર્માએ અપશબ્દો બોલી તેમનું અપમાન કર્યું હતું. આ ઉપરાંત સાથી અધિકારીને બોલાવીને માર પણ માર્યો હતો.

વાત એવી હતી કે નલિયામાં એક કેસ નોંધાયો હતો. જેમાં આરોપીને પૂછપરછ દરમિયાન હેરાનગતિ ન થાય તે માટે વિનંતી કરવા અબ્દુલ્લા હાજી ઈબ્રાહીમ કુલદીપ શર્માને મળવા ગયા હતા. ઉલ્લેખનીય છે કે અબ્દુલ્લા હાજી ઈબ્રાહીમ મંધરા ઉર્ફે ઈભલા શેઠ તરીકે પણ ઓળખાતા હતા.

તેમની સાથે વાતચીત દરમિયાન કુલદીપ શર્માએ તેમને પૂછ્યું તમે શેઠ છો? તો તેમણે કહ્યું ના… લોકો મને ઈભલા શેઠ તરીકે ઓળખે છે. આ મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ કુલદીપ શર્માએ સાથી કર્મચારીને બોલાવીને ઈભલા શેઠને માર માર્યો હતો. આ ઘટનાની ફરિયાદ કોર્ટમાં થતા 41 વર્ષે ચુકાદો આવ્યો હતો.