સોનિયા ગાંધી શક્ય તેટલી વહેલી તકે વસ્તી ગણતરી કેમ કરવા માંગે છે?

Sonia Gandhi: કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ માંગ કરી છે કે દેશમાં શક્ય તેટલી વહેલી તકે વસ્તી ગણતરી કરવામાં આવે. સંસદમાં સોનિયાએ એમ પણ કહ્યું કે ઇતિહાસમાં પહેલી વખત એવું થયું છે કે વસ્તી ગણતરીમાં 4 વર્ષથી વધુ સમય વિલંબ થયો છે. પરંતુ હવે તમને સવાલ થતો હશે કે સોનિયા ગાંધી શક્ય તેટલી વહેલી તકે વસ્તી ગણતરી કેમ કરવા માંગે છે?

આ પણ વાંચો: મોદીની વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા શરૂ, વસ્ત્રાલની ક્રિસ્ટલ સ્કૂલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

ભૂખમરાથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા
યુપી સરકાર દ્વારા રજૂ કરાયેલ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો એક ઐતિહાસિક પહેલ હતી. આ કાયદાનો ઉદ્દેશ એ હતો કે 140 કરોડ વસ્તી માટે ખોરાક અને પોષણ મળી રહે. સોનિયાએ કહ્યું કે આ કાયદાએ લાખો સંવેદનશીલ પરિવારોને ભૂખમરાથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કોરોના સમયે આ કાયદાએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. સંકટ સમયે આ કાયદાનો ખૂબ લાભ થયો હતો.