વસ્ત્રાલમાં આતંક મચાવનાર લુખ્ખાઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

Ahmedabad: અંગત અદાવતમાં અસમાજિક તત્વોએ લાકડી, તલવાર સાથે વસ્ત્રાલ વિસ્તારને માથે લીધું હતું જે બાદ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને પોલીસે એક સગીર સહિત 14 આરોપીઓની ધરપકડ કરી હતી, જે બાદ તમામને મેથીપાક ચખાડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by NewsCapital Gujarat (@newscapitalgj)

આ અસમાજિક તત્વોની ધરપકડ કરાયા બાદ આજે બપોરે પોલીસની ટીમ આ આરોપીઓ લઈને બનાવ સ્થળે પહોંચી હતી અને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન આ તોફાની તત્વોને જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: અસામાજિક તત્વોમાં પોલીસનો ડર હોવો જ જોઈએ, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે આપ્યું નિવેદન

ઉલ્લેખનીય છે કે, વસ્ત્રાલમા આવેલી શાશ્વત મહાદેવ-2 સોસાયટીની બહાર 15થી 20 લુખ્ખાઓના ટોળાએ રાહદારીઓ પર હુમલો કરીને વાહનોમાં તોડફોડ કરી હતી. જેનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.