September 27, 2024

દ્વારકાના મોજપ ગામે યોજાયો મલકુસ્તી મેળો, યુવાનોએ બતાવ્યું કૌવત

મનોજ સોની, દ્વારકા: દ્વારકા જિલ્લાના મોજપ ગામે 500 વર્ષથી પૌરાણિક મલકુસ્તી મેળો આજે ભાદરવી નોમ દિવસે યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં મલકુસ્તી બાજોએ પોતાનું કૌવત બતાવ્યું હતું. મોજપ ગામે પઠાપીરદાદા અને ગોપીચંદ રાજાના સાનિધ્યમાં મલકુસ્તી મેળો આજે ભાદરવી નોમના દિવસે યોજાયો હતો આ મલક કુસ્તી મેળાનું આયોજન મોજપ ગામના આગેવાનો દ્વારા કરવામાં આવી છે

આજના આધુનિક યુગમાં જ્યાં લોકો ઓનલાઈન ગેમ અને મોબાઈલ પર સીમિત રમતો રમ્યા અને પોતાની જાતને સ્માર્ટ ગણે છે ત્યાં બીજી બાજુ રામાયણ મહાભારત કાળ ની આગવી ઓળખ એટલે મલકુસ્તી મેળો આ મલ કુસ્તી મેળા નું આયોજન અતિ પૌરાણિક રાજા મહારાજા દ્વારા કરવામાં આવતું હતું ત્યારે આ સમયમાં હજુ પણ દ્વારકા પાસેના મોજપ ગામે આ પૌરાણિક પરંપરા ગ્રામજનોએ જાળવી રાખી છે.

મોજપ જેવા નાના ગામમાં 500 વર્ષથી ઓખા મંડળ બારાડી પંથકમાંથી મોટી સંખ્યામાં મલકુસ્તી બાજુ તેમજ ચારથી પાંચ હજાર જેટલા મલકુસ્તી પ્રેમી જનતા અહીં આ મેળામાં આવી રહી છે. અહીંના મેળામાં મલ કુસ્તી બાજો ભાગ લે છે અને વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવે છે. આજે મોજપ ગામે પઠાપીર દાદા અને ગોપીચંદ રાજાના સાનિધ્યમાં મલકુસ્તી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશાળ સંખ્યામાં લોકો મલકુસ્તી નિહાળવા આવી પહોંચ્યા હતા.