September 28, 2024

NDA ખૂબ જ નાજુક છે, એક નાની ભૂલથી સરકાર પડી જશેઃ રાહુલ ગાંધીનો દાવો

Rahul Gandhi’s Statement: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ એનડીએ સરકાર ખૂબ જ નાજુક છે. તેમણે કહ્યું છે કે એનડીએ સરકાર તેના ત્રીજા કાર્યકાળમાં અસ્તિત્વ માટે સંઘર્ષ કરી શકે છે. લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પોતાના પ્રથમ ઈન્ટરવ્યુમાં રાહુલ ગાંધીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે 4 જૂનના નિર્ણય બાદ ભારતીય રાજકીય લેન્ડસ્કેપમાં મોટો ફેરફાર થયો છે. વધુમાં કહ્યું કે, “સંખ્યા એટલી ઓછી છે કે તેમની સ્થિતિ ખૂબ જ નાજુક છે, અને સહેજ પણ ખલેલ સરકારને પછાડી શકે છે… સાથીઓએ બીજી તરફ વળવું પડી શકે છે.”

“આ કારણે ગઠબંધન સંઘર્ષ કરશે,” રાહુલ ગાંધીએ કહ્યું. તેમણે કહ્યું કે “કારણ કે જે વસ્તુઓ 2014 અને 2019માં નરેન્દ્ર મોદી માટે કામ કરતી હતી તે કામ કરી રહી નથી.” લોકસભા ચૂંટણીના પરિણામોમાં, વિપક્ષ ઈન્ડિયા બ્લોકે એક્ઝિટ પોલના અનુમાન કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું હતું અને 543માંથી 234 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપની આગેવાની હેઠળના એનડીએને 293 બેઠકો મળી હતી. આ પરિણામોએ ફરી રાહુલ ગાંધીને ભારતીય રાજકારણમાં મોખરે લાવ્યા છે. એવો અંદાજ છે કે તેમને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવી શકે છે. નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા પરંતુ છેલ્લી બે લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ ભાજપ પોતાના દમ પર પૂર્ણ બહુમતીનો આંકડો પાર કરી શકી નથી. સરકાર બનાવવા માટે તેમણે એનડીએના સાથીદારો પર નિર્ભર રહેવું પડ્યું.

આ પણ વાંચો: પાટણમાં કરોડોના ખર્ચે બનેલી આયુર્વેદિક હોસ્પિટલ બની ખંડેર, માલસામાન પણ ચોરાઈ ગયાં!

રાહુલ વાયનાડ સીટ ખાલી કરશે, પ્રિયંકા પેટાચૂંટણી લડશે
સોમવારે, રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક પરથી તેમની ઉમેદવારી જાળવી રાખશે અને કેરળની વાયનાડ બેઠક ખાલી કરશે, જ્યાંથી તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી લડશે. આ મુદ્દા પર અટકળોનો અંત લાવતા, કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેએ તેમના નિવાસસ્થાને ચર્ચા કર્યા પછી બંને બેઠકો પર નિર્ણયની જાહેરાત કરી. આ બેઠકમાં ખડગે અને રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર હતા. , જો પ્રિયંકા ગાંધી વાડ્રા આ ચૂંટણી જીતશે તો તેઓ પહેલીવાર સાંસદ તરીકે સંસદમાં પ્રવેશ કરશે. આ પણ પહેલીવાર હશે જ્યારે ગાંધી પરિવારના ત્રણ સભ્યો – સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા – એકસાથે સંસદમાં હશે.