BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી આ 5 ખેલાડીઓ બહાર

BCCI એ વર્ષ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. જેમાં 34 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. 5 ખેલાડીઓ એવા છે કે જેને જેમને પહેલી વાર BCCI તરફથી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળ્યો છે. તેની સાથે 5 એવા ખેલાડીઓ છે કે જેને ગયા વર્ષના સ્થાન મળ્યું હતું , પરંતુ આ વખતે તેને બહાર કરી દેવામાં આવ્યા છે. આવો જાણીએ આ 5 ખેલાડીઓ વિશે.

શાર્દુલ ઠાકુર
શાર્દુલ ઠાકુરે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ વર્ષ 2023ના અંતમાં રમી હતી. ત્યારથી તે ટીમ ઈન્ડિયાની બહાર છે. તેને ઈજા થઈ હતી જેના કારણે તે ટીમ ઈન્ડિયાથી બહાર હતો. આ કારણથી તેને વર્ષ 2024-25 સિઝનમાં કેન્દ્રીય કરારની યાદીમાં સામેલ કરવામાં આવ્યો નથી. હાલ તે આઈપીએલમાં લખનૌની ટીમમાંથી રમી રહ્યો છે.

આર અશ્વિન
ભારતીય ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને ડિસેમ્બર વર્ષ 2024 માં બ્રિસ્બેનના ગાબા ખાતે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે હવે ટીમ ઈન્ડિયા માટે કોઈ ફોર્મેટમાં રમી રહ્યો નથી. જેના કારણે હવે તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યો નથી.

કે.એસ. ભરત
કે.એસ. ભરતની પણ એવી ચર્ચાઓ હતી કે તેમને આ યાદીમાંથી બહાર કરી દેવામાં આવશે. અંત એવું થયું અને તેને આ યાદીમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તે લાંબા સમયથી વિકેટકીપર બેટ્સમેન તરીકે ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. પરંતુ તેનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણે થઈ રહ્યું ના હોવાના કારણે તેને આ યાદીમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

જીતેશ શર્મા
જીતેશ શર્માએ વર્ષ 2024 માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે વર્ષ 2024ના T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન મળશે પરંતુ એવું બન્યું નહીં. જેના કારણે આ ખેલાડીનું નક્કી હતુ કે તેને આ યાદીમાંથી બહાર કરવામાં આવશે. આખરે એવું જ થયું.

આ પણ વાંચો: વાનખેડેમાં અનંત અંબાણી અને રાધિકાની ‘સુંદર ક્ષણ’ કેમેરામાં કેદ થઈ, વીડિયો થયો વાયરલ

અવેશ ખાન
વર્ષ 2024માં દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં તે ટીમ ઈન્ડિયા માટે રમ્યો હતો. લખનૌની ટીમમાં રહીને તે સારું પ્રદર્શન કરી રહ્યો છે. વર્ષ 2022માં ટીમ ઈન્ડિયામાં તેણે ડેબ્યૂ કર્યું હતું. આ ખેલાડીને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યો નથી.