10,000 હજાર વર્ષ પહેલા લુપ્ત થયેલું ‘ડાયર વુલ્ફ’ પૃથ્વી પર ફરીથી પાછું લાવવામાં આવ્યું

Dire wolf return: લુપ્ત થઈ ગયેલા પ્રાણીઓને ફરી એકવાર પૃથ્વી પર પાછા લાવવા માટે વિશ્વભરમાં પ્રયાસો થઈ રહ્યા છે. વૈજ્ઞાનિકો વર્ષોથી આ કામમાં લાગેલા છે. આ દરમિયાન, વૈજ્ઞાનિકોએ જિનેટિક એન્જિનિયરિંગએ કમાલ કરી બતાવી છે. તેઓએ ત્રણ લુપ્ત ડાયર વુલ્ફ (Dire Wolves)ને પુનર્જીવિત કર્યા છે, જે 10 હજાર વર્ષ પહેલાં લુપ્ત થઈ ગયા હતા. જેનેટિક એડિટિંગની મદદથી લુપ્ત થયેલા વુલ્વ્સને પૃથ્વી પર પાછું લાવવામાં આવ્યું છે.

માહિતી અનુસાર, અમેરિકાની ‘Colossal Biosciences’ નામની જીનેટિક એન્જીન્યરીંગ કંપનીએ 10,000 વર્ષ અગાઉ લુપ્ત થઈ ગયેલી Dire Wolvesની પ્રજાતિને જીનેટિક એન્જિનિયરીંગની મદદથી ફરીથી જીવતી કરી છે! વર્ષ 2021માં ટૅક્સાસ રાજ્યના ડલાસ શહેરમાં સ્થપાયેલી કોલોસલ બાયોસાયન્સ વૂલી મેમથ, તાસ્માનિયન ટાઈગર અને ડોડો પક્ષી જેવી ઘણી વિલુપ્ત પ્રજાતિઓને ફરી જીવતી કરવાનો પ્રસાય કરી રહી હતી. તેમને ‘ડાયર વુલ્ફ’ નામની વરુની પ્રજાતિને સજીવન કરવામાં સફળતા મળી છે. બાળ વરુઓના ફોટો અને વીડિયો જાહેર કરીને કંપનીએ આ સફળતાની જાહેરાત કરી હતી.

આગાઉ સંધોશકોને ઓહાયોમાંથી 12000 વર્ષ જૂનો વરુ દાંત અને ઈડાહોમાંથી 72,000 વર્ષ જૂના ખોપરીના ટુકડા મળી આવ્યા હતા. એ પ્રાચીન વરુ-અવશેષોના ડીએનએમાંથી મેળવેલા જીનોમનો ઉપયોગ કરીને ‘ક્લોનિંગ’ અને ‘જનીન એડિટિંગ’ જેવી ટેક્નિક વડે આ વરુઓને જીવિત કરવામાં આવ્યા છે. આ કામ માટે વૈજ્ઞાનિકોએ ‘ડાયર વરુ’ના સૌથી નજીકના જીવતા સંબંધી ગણાતા ‘ગ્રે વરુ’ના ડીએનએનો પણ ઉપયોગ કર્યો હતો. બચ્ચા જન્માવવા માટે વરુના કોષોને માદા કૂતરાના અંડકોષમાં આરોપવામાં આવ્યા હતા અને પછી માદા કૂતરાના ગર્ભાશયનો જ ઉપયોગ સરોગેટ મધર તરીકે કરવામાં આવ્યો હતો. 1 ઓક્ટોબર 2024ના રોજ બે નર ડાયર વુલ્ફ બચ્ચાં (રોમ્યુલસ અને રેમસ)નો જન્મ થયો. આ પછી 30 જાન્યુઆરી, 2025ના રોજ, ખલીસી નામના માદા બચ્ચાંનો જન્મ થયો. આ ત્રણ બચ્ચાંઓને ‘વિશ્વના પ્રથમ લુપ્ત થયેલા પ્રાણીઓ’ કહેવામાં આવી રહ્યા છે.

Colossal Biosciencesએ ડાયર વુલ્ફના પુનર્જીવન સાથે લુપ્તતા દૂર કરવાની ટેકનોલોજીની સફળતા સાબિત કરી છે. કંપની હવે તાસ્માનિયન વાઘ, ઊની મેમથ અને ડોડો પક્ષી જેવી અન્ય લુપ્ત પ્રજાતિઓને પુનર્જીવિત કરવાની યોજના ધરાવે છે. કંપનીના સહ-સ્થાપક અને સીઈઓ બેન લેમે કહ્યું- અમે સાબિત કર્યું છે કે અત્યાધુનિક ટેકનોલોજી જાદુથી ઓછી કંઈ નથી. અમારો ઉદ્દેશ્ય ફક્ત લુપ્ત થતી પ્રજાતિઓને પાછી લાવવાનો જ નથી પણ સંરક્ષણના પ્રયાસોમાં મદદ કરવાનો પણ છે.