આતંકવાદી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત કેવી રીતે લાવવામાં આવ્યો?

Tahawwur Hussain Rana: મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાની ધરપકડ સાથે NIAને મોટી સફળતા મળી છે. NIA હવે તહવ્વુર હુસૈન રાણા પાસેથી મુંબઈ આતંકવાદી હુમલાના ઘણા રહસ્યોને બહાર લાવશે. તેને હવે ભારતમાં તેણે કરેલા ગુનાઓની સજા મળશે. ત્યારે તમને સવાલ થતો હશે કે આતંકવાદી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત કેવી રીતે લાવવામાં આવ્યો?

નવી દિલ્હી લાવવામાં આવ્યો
NIA છેલ્લા ઘણા વર્ષોથી પ્રયાસો કરી રહ્યું હતું. એમ છતાં કોઈ સફળતા મળી રહી ના હતી. ગુરુવારે મોડી રાત્રે અમેરિકાના લોસ એન્જલસથી એક ખાસ વિમાન દ્વારા NSG અને NIAની ટીમો સાથે નવી દિલ્હી લાવવામાં આવ્યો હતો.

અપીલો ફગાવી દેવામાં આવી
રાણાના વિવિધ દાવાઓ અને અપીલો કરવામાં આવી હતી. પ્રત્યાર્પણ ભારતના વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલય તેમજ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના સંબંધિત અધિકારીઓના સંકલિત પ્રયાસો દ્વારા કરવામાં આવ્યું છે. વોન્ટેડ આતંકવાદી માટે શરણાગતિ વોરંટ જારી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: આખી સિઝનમાંથી બહાર થયા બાદ ગાયકવાડે આપ્યું પહેલું નિવેદન, ધોની માટે કહી આ વાત

NIAએ આ યુએસ એજન્સીઓનો સંપર્ક કર્યો
NIA એ યુએસ FBI, USDoJ અને અન્ય એજન્સીઓમાં તેના સમકક્ષો સાથે નજીકથી કામ કર્યું છે. આતંકવાદમાં સંડોવાયેલા વ્યક્તિઓને ન્યાય અપાવવાના ભારતના પ્રયાસોમાં એક મોટું પગલું છે. ધરપકડ બાદ, તેને NIA ની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નવી દિલ્હીના IGI એરપોર્ટ પર પહોંચતા જ ઔપચારિક રીતે ધરપકડ કરી હતી. . આ પછી, રાણાને પટિયાલા હાઉસ સ્થિત ખાસ NIA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટે રાણાને 18 દિવસ માટે NIA કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો. આ સમયગાળા દરમિયાન, એજન્સી 2008ના મુંબઈ આતંકવાદી હુમલા પાછળના સમગ્ર કાવતરાને શોધવા માટે તેમની વિગતવાર પૂછપરછ કરશે.