September 2, 2024

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં

Team India Sri Lanka Tour: ઝિમ્બાબ્વેને ઘરઆંગણે હરાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાનું નેક્સ્ટ મિશન શ્રીલંકા પ્રવાસ છે. આ પ્રવાસમાં ભારતીય ટીમ 3 ODI અને 3 T20 સીરીઝ રમવાની છે. આ બંને સિરીઝનું શેડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ આ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટી-20 ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે.

ભારતીય ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીરનો પણ આ પહેલો પ્રવાસ હશે. ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર હવે પોતાની નવી ઇનિંગ માટે તૈયાર છે. તાજેતરમાં જ BCCIએ તેમને ભારતીય ટીમના નવા મુખ્ય કોચ નિયુક્ત કર્યા છે. ગંભીરે રાહુલ દ્રવિડનું સ્થાન લીધું છે, જેનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 બાદ સમાપ્ત થયો હતો.

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે શુભમન ગીલની કપ્તાનીમાં તાજેતરમાં જ 5 મેચની T20 સીરિઝમાં ઝિમ્બાબ્વેને 4-1થી હરાવ્યું હતું. આ પહેલા રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે ગયા મહિને એટલે કે જૂનમાં T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

ભારતની T20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ , ખલીલ અહેમદ અને મોહમ્મદ સિરાજ.