સ્વામિનારાયણ સંપ્રદાયનું વધુ એક પુસ્તક વિવાદમાં, દ્વારકાધીશ પર ઉઠાવ્યા સવાલ

Rajkot News: સ્વામિનારાયણ સંપ્રદાયનું વધુ એક પુસ્તક વિવાદમાં આવ્યું છે. શ્રીજીસંકલ્પમૂર્તિ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો નામના પુસ્તકમાં વાર્તા નંબર 33માં દ્વારકાધીશ ભગવાન પર સવાલો ઉઠાવ્યા છે. દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે ? ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ તેઓ સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે સનાતનીઓમાં રોષ ફેલાયો છે. સોશિયલ મીડિયા દ્વારા સ્વામિનારાયણના સંતોની આકરી ટીકા કરાઈ રહી છે.
આ પણ વાંચો: KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, જાણો પિચ રિપોર્ટ
સદાનંદ સરસ્વતીજીએ નિવેદન આપ્યું
શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરૂ ગોપાલાનંદ સ્વામીની વાતો નામના પુસ્તકમાં વિવાદિત લખાણો લખાયા આ વિશે દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ નિવેદન આપ્યું છે. મૂળ શ્રીસ્કંદપુરાણમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ ઉલ્લેખ નથી. છેલ્લા 4 – 5 વર્ષથી સનાતન ધર્મના દેવી દેવતાઓને નીચા બતાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ક્યારેક શિવજી, ક્યારેક હનુમાનજી સહિતના દેવતાઓને દાસ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા સંતોએ એવા કોઈ પણ નિવેદન આપવા ન જોઈએ જેનાથી કોઈને દુઃખ પહોંચે.