આશારામ સામે થયેલા રેપ કેસના સાક્ષીઓ પર હુમલો કરવા મામલે 10 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ

અમદાવાદઃ દેશભરમાં ચકચારી આશારામ તથા નારાયણ સાંઈ વિરૂદ્ધ નોંધાયેલા બળાત્કાર, દુષ્કર્મના કેસના સાક્ષીઓ ઉપર એસિડ એટેક, જીવલેણ હુમલા તથા મર્ડરના ગુનાઓમાં છેલ્લા 10 વર્ષથી મોસ્ટ વોન્ટેડ આરોપી તામ્રધ્વજ ઉર્ફે તામરાજ ઉર્ફે રાજ ઉર્ફે સ્ટિફનની સુરત ક્રાઇમ બ્રાન્ચે નોઇડા, ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી પર રૂપિયા 50,000 રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું.

ગુજરાત તથા રાજસ્થાન રાજ્યમાં આશારામ તથા નારાયણ સાંઈ વિરૂદ્ધ અલગ અલગ જગ્યાએ બળાત્કાર, દુષ્કર્મના ગુના નોંધાતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. કસ્ટડીમાં જતા આ ગુનાના ફરિયાદી તથા વિટનેશ(સાક્ષીઓ)ને ફરિયાદ પાછી ખેંચી લેવા તથા જુબાની નહીં આપવા ડરાવવા-ધમકાવવા ફરિયાદી, સાક્ષીઓને મારી નાંખવા, જીવલેણ હુમલો કરવા, એસિડ એટેક કરવા વગેરે માટે આશારામ તથા નારાયણ સાંઈના નજીકના સાધકો દ્વારા એક ગુપ્ત મિટિંગ કરવામાં આવી હતી.

તેમાં કાર્તિક, તામરાજ તથા અન્ય લોકોએ એકત્રિત થઈ સિન્ડિકેટ બનાવી ફંડિંગ મેળવી અલગ અલગ રાજ્યો તથા શહેરોમાં ફરિયાદી તથા સાક્ષીઓ ઉપર હુમલા કરવામાં આવ્યા હતા. તેમાં એકસપ્લાઝીવ દ્વારા વેપન્સથી ફાયરીંગ, ચપ્પુથી તીક્ષ્ણ હથિયારોથી હુમલાઓ, એસિડ એટેક કરી હુમલો કરવાનું કાવતરૂં ઘડવામાં આવ્યું હતું. આ સાથે જ નીચે મુજબના ગુનાઓ આચર્યા હતા.

1. માર્ચ-2014માં સુરત શહેર ઉમરા હદ વિસ્તારમાં સાક્ષીને મદદ કરતો હોવાની શંકાના આધારે દિનેશભાઇ ભાગચંદાની ઉપર એસિડ એટેક કરવામાં આવ્યો હતો.
2. જુલાઇ-2014માં રાજકોટમાં વેદ અમૃત પ્રજાપતિ ઉપર હુમલો કરી ફાયરીંગ કરી તેની હત્યા કરી હતી.
3. જાન્યુઆરી-2015માં મુજ્જફરનગરમાં અખીલ ગુપ્તા પર ફાયરીંગ કરી તેનું મર્ડર કર્યું હતું.
4. હોસંગાબાદમાં ઓમપ્રકાશ પ્રજાપતિ તેમજ તેમના પત્ની સીમા પ્રજાપતિ પર ફાયરીંગ કરવામાં આવ્યું હતું.
5. મે-2015માં પાનીપતના મહેન્દ્ર ચાવલા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
6. જુલાઇ-2015માં સહાજાહપુરમાં ક્રિપાલસીંગનું મર્ડર કરવામાં આવ્યું હતું. તેમાં આ ગેંગ દ્વારા હજુ રાહુલ સચાંણ હાલ સુધી મિસિંગ છે તેમજ તેનું ઇન્વેસ્ટીગેશન CBI દ્વારા કરવામાં આવે છે.

આશારામ તથા નારાયણ સાંઈના નજીકના સેવક મોસ્ટ વોન્ટેડ કુખ્યાત આરોપી તામરાજ ઉપરોક્ત ગુનાઓમાં સંડોવાયેલો હતો. તે ઉત્તરપ્રદેશ નોઇડા વિસ્તારમાં હોવાની માહિતી મળતા સુરત શહેર ક્રાઇમ બ્રાંચની એક ટીમ ઉત્તરપ્રદેશ નોઇડામાં જઈ વર્કઆઉટ કરી કુખ્યાત આરોપી તામ્રધ્વજ ઉર્ફે તામરાજ ઉર્ફે રાજ ઉર્ફે સ્ટીફન s/0 હરીરામ સાહુની ધરપકડ કરવામાં આવી છે.

ઉપરોકત ગુનાઓથી બચવા માટે તામરાજ દ્વારા ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરી ઓળખ રાજ સ્ટીફન તરીકે રાખી ASSISI કોન્વેન્ટ સ્કુલ નોઇડા ઉત્તરપ્રદેશ આધારે કરાર આધારીત આઉટ સોર્સથી નોકરી મેળવી પકડાય ન જાય તે માટે આશ્રમથી અંતર બનાવી લીધી હતું. આરોપી તામરાજ દ્વારા સને-2014, 2015 દરમિયાન અલગ અલગ રાજ્યમાં ગુના આચરવામાં આવ્યા હતા.

આરોપીઓ દ્વારા આશારામ વિરૂદ્ધ સાક્ષીઓને મારવા માટે 15થી 20 લાખથી વધુ ફંડ એકઠું કરી એકે 47 રાયફલ તથા પિસ્તોલ, કટ્ટા વગેરે હથિયારો મેળવવા પ્રયત્નો કર્યા હતા. જેમાં એકે 47 રાયફલ સિવાયના અન્ય હથિયારો આ ગુનાઓ આચરવા માટે મેળવેલા તેમજ જેમની ઉપર હુમલો કરવાનો હોય તેના ઘરની આસપાસ ભાડેથી મકાન રાખી એકથી બે માસ જેટલો સમય રહી રેકી કરી તેમના ઉપર હુમલો કરવામાં આવતો હતો. આ આરોપી ઉપર હરિયાણા સરકાર દ્વારા રૂપિયા 50 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.