સુરતમાં ‘ગ્રીષ્મા હત્યાકાંડ’ જેવી ઘટના! તેજસ્વિની ચૌધરીના કરાયા અંતિમ સંસ્કાર

Surat: સુરતના માંગરોળના વાંકલ બોરિયા માર્ગ પર ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવતી તેજસ્વિની ચૌધરીના અંતિમ સંસ્કાર કરાયા છે. મોટી સંખ્યામાં આજુબાજુ વિસ્તારના લોકો પણ અંતિમયાત્રામાં જોડાયા હતા.
મળતી માહિતી અનુસાર માંગરોળના બોરિયા ગામે મુક્તિધામ ખાતે તેજસ્વિની ચૌધરીના અંતિમ સંસ્કાર કરાયા છે. મોટી સંખ્યામાં આજુબાજુ વિસ્તારના લોકો અંતિમયાત્રામાં જોડાયા છે. નોંધનીય છે કે, ગઈકાલે સુરેશ જોગી નામના યુવકે-યુવતીનું ગળું કાપી હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે, યુવતીનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરાના સમા ઐયપા ખાતે આવેલી સમરસ હોસ્ટેલના જમવામાં નીકળ્યા કીડા