HNGUમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગેરરીતિ મામલે કર્યો હલ્લાબોલ

પાટણ: પ્રાંતિજ એક્સપરીમેન્ટલ કોલેજમાં MSc (sem-4)માં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. જેને લઈ HNGUમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગેરરીતિ મામલે હલ્લાબોલ કર્યો હતો. પ્રાંતિજ કોલેજની સાથે સાથે HNGU સંલગ્ન અન્ય કોલેજમાં ચાલતા બીએડ, નર્સિંગ તેમજ અન્ય વિષયોની કોલેજોમાં ચાલતી પોલમપોલ પર સવાલો ઉઠાવ્યા હતા.

આ તમામ મુદ્દાઓને લઈને HNGUના રજીસ્ટ્રારને આવેદનપત્ર આપ્યું હતું. જો એક સપ્તાહમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો HNGUમા ધરણા પ્રદર્શન કરાશે.

આ અંગે HNGUના રજીસ્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, HNGU તરફથી પ્રાંતિજ કોલેજમાં ગેરરીતિ મામલે 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. CCTV ફૂટેજ તેમજ સિનિયર જુનિયર અધ્યાપકોના ઓબ્જર્વ રિપોર્ટ તેમજ યુનિવર્સીટીના સ્કોર્ડમાં ગયેલા અધ્યાપકોના રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે. HNGU તરફથી 2 દિવસમાં રિપોર્ટ તૈયાર કરીને આગળની કાર્યવાહી કરાશે.