ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભવનાથ મંદિરે પૂજા-અર્ચના કરી

જૂનાગઢ: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભવનાથ મહાશિવરાત્રીના મેળામાં પહોંચ્યા છે. ભવનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા-અર્ચના કરી હતી. હર્ષ સંઘવી સાથે પ્રદેશ બીજેપી સંગઠન મહામંત્રી રત્નાકરજી, સાંસદ રાજેશ ચુડાસમા સહીતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહાશિવરાત્રીની ગુજરાત વાસીઓને શુભકામના પાઠવી હતી. આ સાથે વિવિધ અખાડા અને આશ્રમો માં સાધુ સંતો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી

હર્ષ સંઘવીએ મહાશિવરાત્રીના મેળામાં આવી ભવનાથ મહાદેવને રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ગુજરાતની ઉત્તરોત્તર પ્રગતિ થાય, શાંતિ અને સલામતી બની રહે, સંયુક્ત કુટુંબમાં સુખમય જીવન જીવે તેવી પ્રાર્થના કરી હતી. તેમજ જૂનાગઢ પોલીસને મેળાની વ્યવસ્થા બદલ અભિનંદન આપ્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે, મનપાના સફાઈ કર્મચારીઓને વંદન કરૂં છું, એમનું સન્માન કરીને ગાંધીનગર જઈશ.