કુપવાડામાં સુરક્ષા દળોએ સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું, હથિયારોનો મોટો જથ્થો મળ્યો

Kupwara Joint Operation: કુપવાડા જિલ્લાના કાંડી જંગલ વિસ્તારમાં સર્ચ એન્ડ ડિસ્ટ્રોય ઓપરેશન (SADO) દરમિયાન કુપવાડા પોલીસ અને ભારતીય સેનાની 47RR એ એક મોટી સફળતા મેળવી, જેમાં યુદ્ધ જેવી સામગ્રીનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. જપ્ત કરાયેલી વસ્તુઓમાં 01 મશીનગન, 07 વિવિધ પ્રકારના હેન્ડ ગ્રેનેડ, 90 લુઝ રાઉન્ડ, એક ચીન બનાવટી દૂરબીન, બે સોલાર મોબાઇલ ચાર્જર અને વિદેશી મૂળની સ્લીપિંગ બેગ સહિત કપડાં અને મોટી માત્રામાં પાકિસ્તાન બનાવટની દવાઓનો સમાવેશ થાય છે. આ સંદર્ભમાં, કાયદાની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. આ સંયુક્ત ઓપરેશન સંભવિત જોખમોને બેઅસર કરીને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાની રક્ષા કરવાના સુરક્ષા દળોના સંકલ્પને પ્રકાશિત કરે છે.
#Kupwara#IN_PIC
Security forces in a joint operation in the Kandi Forest area of Kupwara district recovered arms and ammunition including a machine gun, grenades and other incriminating items.
More details awaited pic.twitter.com/WL1gO0Nzz8— OSINT J&K (@OSINTJK) April 6, 2025
જમ્મુમાં BSFની કાર્યવાહી
નોંધનીય છે કે, આ પહેલા પણ જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર BSFની કાર્યવાહીમાં એક પાકિસ્તાની ઘુસણખોર માર્યા ગયાના સમાચાર સામે આવ્યા છે. આ અંગે માહિતી આપતાં, બીએસએફના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે આ કાર્યવાહીને કારણે સરહદ પારથી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આશરે 35 વર્ષનો ઘુસણખોર આરએસ પુરા સેક્ટરમાં સરહદ ચોકી અબ્દુલિયન પર ઠાર મરાયો હતો. પ્રવક્તાએ કહ્યું, ‘સતર્ક BSF સૈનિકોએ 4 અને 5 એપ્રિલની રાત્રે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતા એક ઘુસણખોરને જોયો અને તેને આગળ વધવાનું બંધ કરવા કહ્યું.’
BSF એ ઘુસણખોરને ઠાર કર્યાં
પ્રવક્તાએ કહ્યું કે ઘુસણખોરે સૈનિકો દ્વારા આપવામાં આવેલી ચેતવણીને અવગણી અને આગળ વધતો રહ્યો. તેમણે કહ્યું, ‘BSF જવાનોએ ખતરો સમજી લીધો અને ઘુસણખોરને મારી નાખ્યો.’ હાલમાં આ ઘુસણખોરની ઓળખ અને હેતુ શોધવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, પાકિસ્તાને ઘુસણખોરનો મૃતદેહ લેવાનો પણ ઇનકાર કર્યો હતો. બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ઘટના અંગે પાકિસ્તાની સમકક્ષ સમક્ષ સખત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બીએસએફએ પોલીસને જાણ કરી, જેમણે મૃતદેહને પોસ્ટમોર્ટમ અને અન્ય કાનૂની ઔપચારિકતાઓ માટે મોકલી આપ્યો.