BZ ગ્રુપ કૌભાંડ મામલે મોટો ખુલાસો, શિક્ષકોએ નિવૃત શિક્ષકોને ફસાવ્યાં

સાબરકાંઠાઃ જિલ્લામાં શિક્ષકો જ એજન્ટ હોવાનો મોટો ખુલાસો થયો છે. શિક્ષકોએ જ એજન્ટ બની નિવૃત્ત શિક્ષકોને BZમાં ફસાવ્યા હોવાનું સામે આવ્યું છે. નિવૃત્ત શિક્ષકોને PF સહિત મળેલા લાખો રૂપિયા પર પોસ્ટ-બેંક કરતા વધુ વળતરની લાલચ આપી છે.

વડાલીના વકીલ અને નિવૃત શિક્ષકનું બીઝેડ ગ્રુપમાં 2 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. એજન્ટ આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નરેશ કટારાએ રોકાણ કરાવ્યું હતું. નરેશ કટારા લાંબડીયાની દેમતી આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. વકીલ અને નિવૃત શિક્ષક કમલેશ ચૌહાણે સીઆઈડી ક્રાઈમને લેખિત ફરિયાદ કરી છે.