રોહિત RCB સામે રમશે કે નહીં? મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચે કહી આ વાત

MI vs RCB IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સના અનુભવી ખેલાડી રોહિત શર્મા વિશે એક મોટી માહિતી સામે આવી છે. જેમાં ઈજાને કારણે રોહિત આઈપીએલ 2025 માં મુંબઈની છેલ્લી મેચમાં રમી શક્યો ન હતો. લખનૌ સામેની મેચમાં રોહિતને આરામ આપવામાં આવ્યો હતો. હવે આ પછીનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાશે. હવે આ અંગે ચર્ચા થઈ રહી છે કે રોહિત આ મેચમાં રમશે કે નહીં. મુંબઈના મુખ્ય કોચ મહેલા જયવર્ધનેએ રોહિતના કેસ અંગે અપડેટ આપ્યું છે.
આ પણ વાંચો: MS Dhoniએ આખરે નિવૃત્તિની અટકળો પર પોતાનું તોડ્યું મૌન, વાત જાણીને તમને પણ લાગશે આઘાત
મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ જયવર્ધને કહી આ વાત
રોહિત શર્માને લઈને એક મહત્વની વાત સામે આવી છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ જયવર્ધનેએ કહ્યું, “રોહિત સારી સ્થિતિમાં હોય તેવું લાગે છે. ” રોહિત લખનૌ સામે રમી શક્યો ન હતો. તેને પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી. રોહિતના ઘૂંટણમાં ઈજા થઈ હતી. પરંતુ હવે તે RCB સામે મેદાનમાં ઉતરી શકે છે. તેમના નિવેદનથી એવું કહી શકાય કે આવનારી મેચમાં એટલે કે આવતીકાલે મેચમાં રમી શકે છે.