July 4, 2024

રૂ. 2000ની નોટ બાદ હવે RBIએ 500ની નોટને લઈ કરી મોટી જાહેરાત

RBI new guideline: ભારતમાં 2000 રૂપિયાની નોટ બંધ થયા બાદ સોશિયલ મીડિયા પર દરરોજ 500 રૂપિયાની નોટને લઈને અનેક પ્રકારના સમાચાર જોવા મળી રહ્યા છે. જે દિવસેને દિવસે વાયરલ પણ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તમારા માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે RBI દ્વારા 500 રૂપિયાની નોટને લઈને શું માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને ભારત સરકારે તાજેતરમાં 500 રૂપિયાની નોટને લઈને કેટલીક નવી માર્ગદર્શિકા જારી કરી છે. નકલી નોટોની વધતી જતી સમસ્યાને રોકવા અને લોકોને સુરક્ષિત અને ભરોસાપાત્ર ચલણ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી આ પગલું લેવામાં આવ્યું છે.

500 રૂપિયાની નોટને લઈને મોટું અપડેટ
તમે એ પણ જાણો છો કે આરબીઆઇ 100, 200 અને 500 રૂપિયાની નોટ બહાર પાડે છે. હાલમાં દેશમાં 500 રૂપિયાની સૌથી મોટી નોટ છે. આવી સ્થિતિમાં ઘણી વખત એવું બને છે કે એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે ફાટેલી નોટો બહાર આવે છે. આવી સ્થિતિમાં લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે ઘણા દુકાનદારો ફાટેલી નોટો સ્વીકારતા નથી. પરંતુ હવે તમારે આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. તમે આવી ફાટેલી નોટો સરળતાથી બદલી શકો છો.

આ પણ વાંચો: ભારતીયોને Maggiનું ઘેલું લાગ્યું… કંપનીએ 15 મહિનામાં કરી લીધી રૂ. 24000 કરોડની કમાણી

જાણો આરબીઆઇની નવી માર્ગદર્શિકા
જનતાની સમસ્યાઓને સમજીને આરબીઆઈએ કહ્યું છે કે તમે નજીકની શાખામાં જઈને આવી નોટો સરળતાથી બદલી શકો છો. કેન્દ્રીય બેંકે 500 રૂપિયાની નોટોને ઓળખવા માટે નવી માર્ગદર્શિકા પણ જારી કરી છે.

500 રૂપિયાની નોટ કેવી રીતે ઓળખવી
આરબીઆઈનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર 500 રૂપિયાને લઈને ઘણા પ્રકારના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. આ સમાચારોમાં કોઈ સત્યતા નથી. સેન્ટ્રલ બેંક અનુસાર, જો કોઈને નકલી અથવા ક્ષતિગ્રસ્ત નોટ મળે છે તો તમે તેને ઓળખી શકો છો. આ વિશે નીચે જાણકારી આપવામાં આવી છે.

– જો તમારી પાસે પણ નોટના કિનારાથી લઈ વચ્ચે સુધીનો ભાગ ફાટેલો છે તો તે નોટ અનફિટ માનવામાં આવશે.
– જો કોઈની પાસે જૂની નોટ છે જે ખૂબ જ ગંદી છે અથવા તેમાં માટી ચોટેલી છે તો તે નોટ પણ અનફિટ ગણાશે.
– ઘણી વખત વધુ પડતા ઉપયોગથી નોટો બગડી જાય છે અને તેવી નોટ પણ અનફિટ થઇ જાય છે.
– જો 500 રૂપિયાની નોટમાં કોઈ ગ્રાફિક ફેરફાર હશે, તો તેને અનફિટ ગણવામાં આવશે.
– આ સિવાય જો નોટનો રંગ ઝાંખો પડી જાય તો તેને વધુ અનફિટ માનવામાં આવે છે.