July 2, 2024

Ravindra Jadeja: કોહલી-રોહિત બાદ હવે સર જાડેજાએ પણ T20 ઇન્ટરનેશનલમાંથી લીધો સન્યાસ

Ravindra Jadeja: વિરાટ કોહલી અને રોહિત શર્મા બાદ હવે ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર સર રવીન્દ્ર જાડેજાએ પણ T20 ઇન્ટરનેશનલ ફોરમેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. તેમણે સન્યાસ લેવાની જાણકારી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી. ભારતે શનિવારે બાર્બાડોઝમાં દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને T20 WC ટાઇટલ પોતાને નામ કરી લીધું.

સર જાડેજાએ પણ લઈ લીધો સન્યાસ
રવીન્દ્ર જાડેજાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં લખ્યું, “દિલથી આભાર વ્યક્ત કરતાં હું T20 ઇન્ટરનેશનલ મેચોને અલવિદા કહી રહ્યો છું. ગર્વથી દોડી રહેલા અડગ ઘોડાની જેમ મેં હંમેશા મારા દેશ માટે મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને અન્ય ફોર્મેટમાં પણ આવું કરવાનું ચાલુ રાખીશ. T20 વર્લ્ડ કપ જીતીને એક સ્વપ્ન સાકાર થવા જેવુ હતું. મારી T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીનું આ એક શિખર છે. ઉત્સાહ અને અતૂટ સમર્થન માટે આભાર, જય હિંદ.”

T20 WC 2024માં જાડેજાનું પ્રદર્શન
અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં રમાઈ ગયેલ T20 વર્લ્ડ કપ 2024માં રવીન્દ્ર જાડેજા કઈ ખાસ સારું પ્રદર્શન ન કરી શક્યા. જાડેજા બોલ અને બેટ બંનેથી પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યા. વર્તમાન ટુર્નામેન્ટમાં જાડેજાએ કુલ 8 મેચ રમીને માત્ર 35 રન બનાવ્યા. તો, સમગ્ર ટુર્નામેન્ટમાં જાડેજાને માત્ર 1 જ વિકેટ મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ravindrasinh jadeja (@royalnavghan)