રાશિદ ખાન કે સુનીલ નારાયણ, IPLના ઇતિહાસમાં શ્રેષ્ઠ સ્પિનર ​​કોણ છે?

Piyush Chawla: આઈપીએલ 2025માં 10 ટીમ પોતાની તાકાત બનાવી રહી છે. અત્યાર સુધીમાં તમામ મેચમાં બેટ્સમેનોનું ખાસ પ્રદર્શન જોવા મળ્યું છે. રોજ શાનદાર મેચ રમાઈ રહી છે. નૂર અહેમદ CSK માટે ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યા છે. IPL 2025 દરમિયાન, પિયુષ ચાવલાએ IPL ઇતિહાસનો બેસ્ટ સ્પિનર ​​જાહેર કર્યો છે. તેણે રાશિદ ખાન અથવા સુનીલ નારાયણને નંબર 1 તરીકે પસંદ કર્યા છે.

આ પણ વાંચો: MP શાહ કોલેજમાં ફરી વિવાદ, હોસ્ટેલમાં મળવા ગયેલી મિત્રને કારણે ચાર વિદ્યાર્થિનીને દોઢ લાખનો દંડ

શ્રેષ્ઠ સ્પિનર ​​કોણ છે?
એક રિપોટ પ્રમાણે પિયુષ ચાવલાએ IPL ઇતિહાસનો બેસ્ટ સ્પિનર ​​જાહેર કર્યો છે. જેમાં સુનીલ નારાયણને IPL ઇતિહાસનો શ્રેષ્ઠ સ્પિનર ​​ગણાવ્યો છે. પીયૂષે યુઝવેન્દ્ર ચહલને બીજા નંબરે તો રાશિદ ખાનને ત્રીજા સ્થાને પસંદ કર્યો છે. મહત્વની વાત એ છે કે ચહલને બીજો શ્રેષ્ઠ સ્પિનર ​​ગણાવ્યો, જ્યારે તેણે રાશિદને ત્રીજું સ્થાન આપ્યું.