અયોધ્યાના રામ પથ પર દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ, બીડી-સિગારેટ અને આંતરિક વસ્ત્રોની જાહેરાત પર પણ પ્રતિબંધ

Ram Path IN Ayodhya: રામનગરી અયોધ્યામાં માંસ અને દારૂના વેચાણ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશને ઠરાવ પસાર કર્યો છે. ત્યારે હવેથી અયોધ્યા અને ફૈઝાબાદ શહેરને જોડતા મુખ્ય માર્ગ પર હવે દારૂ અને માંસના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. દારૂ અને માંસની સાથે સાથે રામ પથ પર પાન, ગુટખા, બીડી, સિગારેટ પર પણ પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ICC ટુર્નામેન્ટ અંગે મોટો નિર્ણય, આ સ્ટેડિયમમાં ફાઇનલ રમાશે
રામ પથ પર માંસ અને દારૂ વેચાશે નહીં
રામલલા મંદિર રામ પથ પર આવેલું છે. અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશને માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. અયોધ્યામાં પહેલેથી જ માંસ અને દારૂના વેચાણ પર પહેલાથી જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અયોધ્યામાં માંસ અને દારૂના વેચાણ પર પહેલાથી જ પ્રતિબંધ છે. અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર ગિરીશ પતિ ત્રિપાઠીએ આ પ્રસ્તાવ પસાર થવાની માહિતી આપી છે.