રાજપીપળાના હરસિદ્ધિ મંદિરના રિનોવેશનનો વિવાદ, પરિસરના 9 ઘર સીલ મારતા ભાડુઆત ઘરવિહોણા

નર્મદાઃ જિલ્લાના રાજપીપળા શહેરમાં આવેલા પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરને 443 વર્ષ પૂર્ણ થયા છે અને જ્યારે રાજા રજવાડા દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું હતું અને રાજાનું રાજ ગયા બાદ આ મંદિર હિંદુ દેવસ્થાન કમિટીમાં જતા મંદિરનો વિકાસ માટે અનેક પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે અને મંદિરના કમ્પાઉન્ડમાં રહેતા લોકો અને દુકાનોના રિનોવેશન માટે અહીં રહેતા લોકોને 15 દિવસ પહેલાં ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી.

ત્યારે આ લોકોએ મકાનો ખાલી ન કરાતા વહીવટી તંત્રએ 9 જેટલા મકાનોને સીલ મારી દીધું હતું. જો કે, આ ભાડુઆત 40 વર્ષથી રહેતા હતા. આ ભાડુઆતોને મકાનમાંથી સમાન પણ કાઢવા દેવામાં આવ્યો નથી. મંદિરના વિકાસ માટે ભાડુઆતોના મકાન ખાલી કરવા માટે બે વાર મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. નોટિસ પિરિયડ પૂર્ણ થઈ ગયા બાદ પણ મકાનો ખાલી ન કરતા સીલ મારી દેવામાં આવ્યું છે. ત્યારે આ ભાડુઆતો ઘરવિહોણા બની ગયા છે.

ભાડુઆતોએ મીડિયા સમક્ષ આપવીતી જણાવતા કહ્યું હતું કે, અમે મંદિરના મંત્રીએ પણ કહ્યું કે, જેમનો સામાન છે તેમને જો જોઈએ તો કાઢી આપવામાં આવશે, પરંતુ આ 9 ઘરના લોકો ઘરવિહોણા થતા રસ્તા પર આવી ગયા છે. તેમની માગ છે કે, હવે એમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે આ પરિવારો 40 વર્ષથી અહીંયા રહે છે. અન્ય કોઈ ઘર તેઓ પાસે નથી એટલે તેઓ ઘરવિહોણા બન્યા હોવાથી તંત્ર વિકાસ કરે છે. માતાજીના મંદિરનો વિકાસ થાય છે. તેની સાથે આ લોકોને કોઈ વાંધો નથી બસ સામે ઘર આપે એવી માગ છે.