સ્વામીની કોઈ હેસિયત નથી જલારામ બાપા વિશે બોલવાનીઃ સાંસદ પરશોત્તમ રૂપાલા

રાજકોટઃ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા જલારામ બાપાને લઈને કરેલી ટિપ્પણી મામલે સાંસદ પરશોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આકરા શબ્દોમાં સ્વામીનો ઉધડો લીધો હતો.
તેમણે જણાવ્યુ હતુ કે, ‘જે સ્વામીએ આ નિવેદન આપ્યું છે, હું તેનું નામ પણ નથી જાણતો. આવા સ્વામીને સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો અને અનુયાયીઓ દ્વારા જ તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. આવા નિવેદનથી સંપ્રદાયે બચવું જોઈએ. આ ખૂબ જ દુઃખદ વાત છે.’
આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે, ‘જલારામ બાપા સમગ્ર વિશ્વની શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ સંત સામે બોલતા પહેલાં તેમણે અરીસામાં જોવું જોઈએ. સ્વામીની કોઈ હેસિયત નથી જલારામ બાપા વિશે બોલવાની.’