રાજસ્થાન: મંદિરમાં દર્શન કરીને માતા સાથે પરત ફરી રહેલા 6 વર્ષના બાળકને વાઘ ઉપાડી ગયો

પ્રતિકાત્મક તસવીર
Trinetra Ganesh Temple Rajasthan: રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં સ્થિત પ્રખ્યાત ત્રિનેત્ર ગણેશ મંદિરમાંથી એક ભયાનક ઘટના સામે આવી છે. બપોરે લગભગ 3 વાગ્યે, એક વાઘે મંદિરમાં દર્શન કરીને માતા સાથે પરત ફરી રહેલા 6 વર્ષના છોકરાને ઉપાડી ગયો અને જંગલમાં ભાગી ગયો. આ ઘટનાથી શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો છે. વન વિભાગના કર્મચારીઓ અનુસાર, બાળકનું મૃત્યુ થયું છે.
रणथंभौर नेशनल पार्क में त्रिनेत्र गणेश मंदिर से दर्शन कर रहे एक 8-10 साल के बालक को टाइगर उठाकर ले गया.
अब वन विभाग ने रणथंभौर त्रिनेत्र गणेश मंदिर मार्ग बंद किया है, मौके पर वन अधिकारी दौड़े हैं.
#Rajasthan pic.twitter.com/jsgaicZZq7
— Avdhesh Pareek (@Zinda_Avdhesh) April 16, 2025
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તે કેટલાક અન્ય ભક્તો સાથે દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. અચાનક જંગલમાંથી એક વાઘ બહાર આવ્યો અને ભીડમાંથી એક નાના બાળકને ઉપાડીને જંગલ તરફ લઈ ગયો. બાળક તેની માતા સાથે મંદિરમાં આવ્યો હતો. લોકોએ જોરથી બૂમો પાડી, પણ વાઘ ઉભો ન રહ્યો.
વાઘે બાળકના ગળા પર પોતાનો પંજો મૂક્યો હતો
વન વિભાગની ટીમ તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગઈ અને વાઘની શોધ શરૂ કરી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાઘ હાલમાં જંગલની અંદર એક જગ્યાએ બેઠો હતો અને તેનો પંજો બાળકના ગળા પર હતો. આ પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ હતી. ટીમે કોઈપણ ઉતાવળ ટાળીને ખૂબ જ સાવધાની સાથે બચાવ કામગીરી પૂર્ણ કરી, પરંતુ માસૂમ બાળકનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.