June 28, 2024

બળાત્કાર-હત્યા કેસમાં Ram Rahim સહિત 4 આરોપીઓ નિર્દોષ જાહેર

નવી દિલ્હીઃ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને બળાત્કાર અને હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે. રામ રહીમ સાથે અન્ય ચાર આરોપીઓને પણ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સીબીઆઈ કોર્ટના નિર્ણયને રદ કરતા આ નિર્ણય આપ્યો છે. હકીકતમાં રામ રહીમે સીબીઆઈ કોર્ટના નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. 2019માં સીબીઆઈ કોર્ટે રામ રહીમ અને અન્યને બળાત્કાર અને બે હત્યાના કેસમાં દોષી ઠેરવ્યા હતા. ત્યારબાદ 18 ઓક્ટોબર, 2021ના ​​રોજ કોર્ટે રણજીત સિંહ હત્યા કેસમાં રામ રહીમ અને અન્યને આજીવન કેદની સજા સંભળાવી.

આ પણ વાંચોઃ અનામત મુદ્દે દેશને એલર્ટ કરું છું; SC-ST, OBCને અંધારામાં રાખીને લૂંટવામાં આવ્યાંઃ PM મોદી

આ કેસમાં અન્ય આરોપીઓ અવતાર સિંહ, કૃષ્ણલાલ, જસબીર સિંહ અને સબદિલ સિંહ છે. ટ્રાયલ દરમિયાન જ એક આરોપીનું મૃત્યુ થયું હતું. જો કે, પત્રકાર પર બળાત્કાર અને હત્યાના કેસમાં રામ રહીમની અપીલ હજુ હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. હાલ રામ રહીમ રોહતકની સુનારિયા જેલમાં બંધ છે.

વર્ષ 2002માં ડેરાની મેનેજમેન્ટ કમિટીના સભ્ય રણજીત સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ડેરા મેનેજમેન્ટને શંકા છે કે, રણજિત સિંહે તેની બહેનને સાધ્વીના યૌન શોષણનો અનામી પત્ર લખાવ્યો હતો. પોલીસ તપાસથી અસંતુષ્ટ રણજીત સિંહના પુત્રએ 2003માં હાઈકોર્ટમાં અરજી કરીને સીબીઆઈ તપાસની માગ કરી હતી. ત્યારપછી આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો અને 2021માં રામ રહીમ સહિત પાંચ આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ કેસમાં કોર્ટે 2007માં આરોપીઓ સામે આરોપો ઘડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુરમીત રામ રહીમ પોતાની બે શિષ્યો પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની જેલની સજા કાપી રહ્યો છે. 2021માં રણજીત સિંહની હત્યાનું કાવતરું ઘડવા બદલ ડેરાના વડાને અન્ય ચાર સાથે દોષી ઠેરવવામાં આવ્યો હતો.