3 લોકોના મોત… 15 ઈજાગ્રસ્ત, 136ની ધરપકડ; બંગાળના મુર્શિદાબાદમાં હિંસા બાદ BSFની પાંચ કંપની તૈનાત

West Bengal: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદાના વિરોધમાં હિંસા ફાટી નીકળી હતી. જેમાં 15 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. 4 નાગરિકો ઘાયલ થયા. અત્યાર સુધીમાં 136 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ૩ લોકોના મોત થયા છે. હિંસાનો મામલો કોલકાતા હાઈકોર્ટ સુધી પહોંચ્યો. હિંસા રોકવામાં નિષ્ફળ રહેવા બદલ બેન્ચે બંગાળ પોલીસને ઠપકો આપ્યો.
અગાઉ અર્ધલશ્કરી દળોની 15 કંપનીઓએ આ વિસ્તારનો કબજો સંભાળ્યો હતો અને હવે BSFની 5 કંપનીઓએ આ વિસ્તારનો કબજો સંભાળી લીધો છે. કોલકાતા હાઈકોર્ટના આદેશ પર બીએસએફને તૈનાત કરવામાં આવી છે. દક્ષિણ બંગાળ ફ્રન્ટિયર બીએસએફના આઈજી કરણી સિંહ શેખાવત પોતે મુર્શિદાબાદ પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે પશ્ચિમ બંગાળના ડીજીપી સાથે પણ બેઠક કરી. બેઠક બાદ મીડિયા સાથે વાત કરી.
#WATCH | West Bengal | Murshidabad violence | Senior officials of the state police visited and carried out the area domination exercise in the affected area. They also had a meeting with the local police officers.
In Murshidabad, people staged a protest against the Waqf… pic.twitter.com/O9av2eeFAh
— ANI (@ANI) April 12, 2025
ઇન્ટરનેટ બંધ કરાયું, BSFની 5 કંપનીઓ તૈનાત કરાઈ
બીએસએફના આઈજી કરણી સિંહ શેખાવતે જણાવ્યું હતું કે કોલકાતા હાઈકોર્ટે હિંસાગ્રસ્ત વિસ્તારમાં કેન્દ્રીય દળોને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. એટલા માટે હું પોતે પરિસ્થિતિનો તાગ મેળવવા આવ્યો છું. હાલ પરિસ્થિતિ સામાન્ય છે, પરંતુ BSFએ કમાન સંભાળી લીધી છે. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે આપણે પોલીસ સાથે મળીને કામ કરવું પડશે. બંગાળ પોલીસને મદદ કરવા માટે 5 કંપનીઓ મોકલવામાં આવી છે.
#WATCH | Murshidabad violence | West Bengal | On his meeting with the DGP West Bengal, IG South Bengal Frontier, BSF, Karni Singh Shekhawat says, "…We have to work along with them in this situation. The discussions were held on this only. We have sent our 5 companies to help… https://t.co/pskD2iIqCL pic.twitter.com/LyuktTcBAX
— ANI (@ANI) April 12, 2025
અમે બંગાળ પોલીસને મદદ કરવા આવ્યા છીએ, સ્વતંત્ર કાર્યવાહી માટે નહીં. અમે રાજ્ય પોલીસની માંગ મુજબ કામ કરીશું. આશા છે કે અહીં ટૂંક સમયમાં શાંતિ પુનઃસ્થાપિત થશે. જો પોલીસને વધુ કંપનીઓની જરૂર પડશે, તો તે પૂરી પાડવામાં આવશે. BSF દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે. પરિસ્થિતિ વધુ બગડવા દેવામાં આવશે નહીં. અફવાઓ ન ફેલાય તે માટે ઇન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ભારતીય દવા કંપનીના વેરહાઉસ પર રશિયાનો હુમલો! યુક્રેને કટાક્ષ કરતા કહ્યું- આ કેવી મિત્રતા?
મુખ્યમંત્રી મમતા બેનર્જી પર હિંસા ભડકાવવાનો આરોપ
તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં વકફ (સુધારા) અધિનિયમ લાગુ કરવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે તેમના X હેન્ડલ પર એક પોસ્ટ લખી અને સ્પષ્ટતા કરી કે તે વક્ફ એક્ટને સમર્થન આપતી નથી. તેથી તે રાજ્યમાં આ કાયદો લાગુ કરશે નહીં. કેટલાક લોકો રાજકીય લાભ મેળવવા માટે રમખાણો ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જો તેઓ આમ ન કરે તો તેમના માટે સારું રહેશે.