PM મોદીએ કોલંબોમાં શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટરો સાથે કરી ખાસ વાતચીત

Narendra Modi Sri Lanka visit: PM નરેન્દ્ર મોદી 5 એપ્રિલના રોજ શ્રીલંકાની મુલાકાત દરમિયાન 1996ના વર્લ્ડ કપના હીરોને મળ્યા હતા. પીએમ મોદીએ શ્રીલંકાના દિગ્ગજ માર્વન અટાપટ્ટુ, ચામિંડા વાસ, હાલના વરિષ્ઠ પુરૂષ ટીમના કોચ સનથ જયસૂર્યા અને અરવિંદા ડી સિલ્વા સાથે મુલાકાત કરી, જેમણે કોલંબોમાં ઓસ્ટ્રેલિયા સામે શ્રીલંકાની વર્લ્ડ કપ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
Cricket connect!
Delighted to interact with members of the 1996 Sri Lankan cricket team, which won the World Cup that year. This team captured the imagination of countless sports lovers! pic.twitter.com/2ZprMmOtz6
— Narendra Modi (@narendramodi) April 5, 2025
પ્રધાનમંત્રી મોદીએ શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી સાથેની વાતચીતની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા X પર શેર કરી. પીએમ મોદીએ X પોસ્ટમાં કહ્યું કે, આ પ્રતિષ્ઠિત ટીમના સભ્યો સાથે વાતચીત કરીને તેમને ખૂબ આનંદ થયો, જેણે અસંખ્ય રમતપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે. “ક્રિકેટ કનેક્ટ! 1996ની શ્રીલંકન ક્રિકેટ ટીમના સભ્યો સાથે વાતચીત કરવાનો આનંદ થયો, જેણે તે વર્ષે વર્લ્ડ કપ જીત્યો હતો.” આ ટીમે અસંખ્ય રમત ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે!”
અર્જુન રણતુંગાના નેતૃત્વ હેઠળ, શ્રીલંકાએ 17 માર્ચ 1996ના રોજ લાહોરમાં 22 બોલ બાકી રહેતા ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવ્યું હતું. લાહોરમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકન લાયન્સ માટે 242 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ શ્રીલંકાએ વિજય મેળવ્યો કારણ કે ડી સિલ્વાએ અણનમ 107 રન બનાવ્યા, આ ઉપરાંત અસંકા ગુરુસિંઘાએ 99 બોલમાં 65 રનની સનસનાટીભરી ઇનિંગ રમી અને અર્જુન રણતુંગાએ 37 બોલમાં 47 રનની ઝડપી ઇનિંગ રમી, જેણે તેમને તેમનો પ્રથમ અને એકમાત્ર વર્લ્ડ કપ ટાઇટલ જીતવામાં મદદ કરી.
પીએમ મોદી શ્રીલંકાની તેમની પહેલી મુલાકાત પર છે અને શનિવારે શ્રીલંકા સરકાર દ્વારા તેમને પ્રતિષ્ઠિત મિત્રા વિભૂષણમ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ભારત અને શ્રીલંકાના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અને સહિયારા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો બદલ તેમને આ મેડલ આપવામાં આવ્યો હતો.