સમાજમાં આશા અને સૌહાર્દની લાગણી વધે… રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી

Delhi: આજે દેશભરમાં ઈદ ધામધૂમથી મનાવવામાં આવી રહી છે. આ અવસર પર પીએમ મોદીએ પણ દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પોસ્ટમાં લખ્યું કે ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા. આ તહેવાર આપણા સમાજમાં આશા, સંવાદિતા અને દયાની ભાવનાને વધારશે.

તેમણે આગળ લખ્યું, તમારા બધા પ્રયત્નોમાં તમને ખુશી અને સફળતા મળે. ઈદ મુબારક! પવિત્ર રમઝાન મહિના પછી ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવે છે. મુસ્લિમો માટે આ ખાસ દિવસ છે. દેશમાં રવિવારે ઈદનો ચાંદ દેખાઈ ગયો હતો. ત્યારબાદ સોમવારે ઈદનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ‘X’ પર લખ્યું, ‘ઈદ-ઉલ-ફિત્રના શુભ અવસર પર તમામ દેશવાસીઓને ખાસ કરીને મુસ્લિમ ભાઈ-બહેનોને અભિનંદન. આ તહેવાર ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવે છે. હું ઈચ્છું છું કે આ તહેવાર દરેકના જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે અને દરેકના હૃદયમાં સારા માર્ગ પર આગળ વધવાની ભાવનાને મજબૂત કરે.

મુખ્યમંત્રી યોગીએ પણ ઈદની શુભેચ્છા પાઠવી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે રાજ્યના લોકોને ઈદની શુભકામના પાઠવતા કહ્યું કે આ તહેવાર પર દરેક વ્યક્તિએ સૌહાર્દ અને સામાજિક સમરસતાને વધુ મજબૂત કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. મુખ્યમંત્રી કાર્યાલયે સોશિયલ મીડિયા ‘X’ પર લખ્યું છે કે ઈદ-ઉલ-ફિત્રના અવસર પર રાજ્યના લોકોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ…

આ પણ વાંચો: અમેરિકાનું વધ્યું ટેન્શન? ઈરાને ટ્રમ્પને આપ્યો વળતો જવાબ