‘મન કી બાત’માં PM મોદીએ દેશવાસીઓને ચૈત્રી નવરાત્રીની પાઠવી શુભેચ્છા

Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ના 120મા એપિસોડને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે ચૈત્ર નવરાત્રી, ઉગાદી, વિશુ ઉત્સવ અને ગુડી પડવાના શુભકામના પાઠવી છે. ‘મન કી બાત’ને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું, ‘આજે ખૂબ જ શુભ દિવસે મને ‘મન કી બાત’ પર તમારી સાથે વાત કરવાની તક મળી છે. આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારતીય નવું વર્ષ પણ આજથી જ શરૂ થઈ રહ્યું છે. આ વખતે વિક્રમ સંવત 2082 (બે હજાર બ્યાસી) શરૂ થઈ રહ્યું છે. અત્યારે મારી સમક્ષ તમારા ઘણા બધા પત્રો પડ્યા છે. કેટલાક બિહારના, કેટલાક બંગાળના, કેટલાક તમિલનાડુના, કેટલાક ગુજરાતના છે. આમાં લોકોએ ખૂબ જ રસપ્રદ રીતે પોતાની લાગણીઓ લખીને મોકલી છે. ઘણા પત્રોમાં ઘણી બધી શુભેચ્છાઓ અને અભિનંદન સંદેશાઓ છે.

આ પણ વાંચો: આ ખેલાડી આઉટ થતાં જ આશિષ નેહરા થયા કોપાયમાન, વીડિયો થયો વાયરલ

ઉનાળાની રજાઓમાં બાળકોને નવું નવું શીખવા અપીલ કરી હતી
વડાપ્રધાને કહ્યું કે ‘બાળકો પાસે ઉનાળાની રજાઓમાં ઘણો સમય હોય છે. આ સમય દરમિયાન બાળકોએ નવી વસ્તુઓ શીખવી જોઈએ અને આ સમયનો ઉપયોગ તેમની કુશળતા સુધારવા માટે કરવો જોઈએ. પ્લેટફોર્મની કોઈ કમી નથી જ્યાં તેઓ ઘણું શીખી શકે. હું માય-ભારતના વિશેષ કેલેન્ડરની ચર્ચા કરવા માંગુ છું, જે ઉનાળાની રજાઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેના અભ્યાસ પ્રવાસ દ્વારા તમે જાણી શકો છો કે જન ઔષધિ કેન્દ્રો કેવી રીતે કાર્ય કરે છે.

લોકોને પાણી બચાવવાની અપીલ
લોકોને પાણી બચાવવાની અપીલ કરતાં પીએમ મોદીએ કહ્યું કે વરસાદના ટીપાંને સાચવીને આપણે ઘણું બધું પાણી વેડફાતું બચાવી શકીએ છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં આ અભિયાન હેઠળ દેશના ઘણા ભાગોમાં જળ સંરક્ષણનું અભૂતપૂર્વ કાર્ય કરવામાં આવ્યું છે. છેલ્લા 7-8 વર્ષોમાં, ટાંકીઓ, તળાવો અને અન્ય જળ રિચાર્જ તકનીકો દ્વારા 11 અબજ ઘન મીટર પાણીનું સંરક્ષણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાને કર્ણાટકના ગડગ જિલ્લામાં સુકાઈ ગયેલા તળાવોને ગામના લોકો દ્વારા પુનઃજીવિત કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે કેચ ધ રેઈન અભિયાનનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.

‘ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સમાં ખેલાડીઓની સંખ્યા વધી રહી છે’
વડાપ્રધાન મોદીએ ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ વિશે વાત કરતા કહ્યું કે આ વખતે પહેલા કરતા વધુ ખેલાડીઓ આ ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે, જે દર્શાવે છે કે પેરા સ્પોર્ટ્સ લોકોમાં લોકપ્રિય થઈ રહી છે. ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સમાં 18 રાષ્ટ્રીય રેકોર્ડ બનાવવામાં આવ્યા હતા, જેમાંથી 12 મહિલા ખેલાડીઓએ બનાવ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે દિલ્હીમાં ફિટ ઈન્ડિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમાં 25 હજાર લોકોએ ભાગ લીધો છે. જેના દ્વારા લોકોમાં ફિટનેસ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

પીએમ મોદીએ તાજેતરમાં મોરેશિયસની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમને આવકારવા માટે ગીત ગવાઈ રજૂ કરવામાં આવી હતી. ગીત ગવાઈ એ ભારતીય પરંપરાનો એક ભાગ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે 200 વર્ષ પહેલા મજૂર તરીકે મોરેશિયસ આવેલા ભારતીયો સમયની સાથે ત્યાં સ્થાયી થયા અને મોરેશિયસમાં પોતાની ઓળખ બનાવી. એ જ રીતે ગયાનામાં પણ હું ચૌતાલની રજૂઆતથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. સિંગાપોર ઈન્ડિયન ફાઈન આર્ટ્સ સોસાયટી નામની સંસ્થાના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે આ સંસ્થા ભારતીય નૃત્ય, સંગીત અને સંસ્કૃતિને બચાવવામાં વ્યસ્ત છે.