પહલગામમાં આતંકી હુમલા બાદ પહેલી વખત PM મોદીનો હુંકાર, આતંકવાદીઓને શોધીને ઠાર મારીશું

PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના મધુબનીમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે એક જાહેર સભાને સંબોધિત કરી. પહલગામ હુમલા પછી પીએમ મોદીનું આ પહેલું સંબોધન હતું. આ દરમિયાન મોદીએ પહેલા પહલગામમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી અને પછી પોતાનું ભાષણ શરૂ કર્યું. પીએમ મોદીએ કડક સ્વરમાં કહ્યું કે પહલગામમાં નિર્દોષ લોકોની હત્યા કરનારા આતંકવાદીઓ અને આ માટે કાવતરું ઘડનારાઓને કલ્પના કરતાં પણ ખરાબ સજા આપવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું કે પહલગામમાં આતંકવાદીઓએ જે ક્રૂરતાથી નિર્દોષ લોકોની હત્યા કરી તેનાથી આખો દેશ દુઃખી છે. આખો રાષ્ટ્ર તેમના દુઃખમાં તમામ પીડિત પરિવારોની સાથે ઉભો છે. આ હુમલામાં કોઈએ પોતાનો પુત્ર, ભાઈ કે પતિ ગુમાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે દેશના દુશ્મનોએ ભારતની આત્મા પર હુમલો કરવાની હિંમત કરી છે.
#WATCH | #PahalgamTerrorAttack | Addressing a public meeting in Bihar's Madhubani, Prime Minister Narendra Modi says, "On April 22, terrorists killed innocent people of the country in J&K's Pahalgam… The country is sad and in pain after this incident. We stand with the families… pic.twitter.com/rlmr44lSnY
— ANI (@ANI) April 24, 2025
તેમણે કહ્યું કે જે આતંકવાદીઓએ આ હુમલો કર્યો છે, જેમણે આ હુમલાનું કાવતરું ઘડ્યું છે તેમને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે અને તેઓ સાથે મળીને તેને પૂર્ણ કરશે. આતંકવાદને નાબૂદ કરવાનો સમય આવી ગયો છે. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ ભારતની ભાવનાને તોડી શકે નહીં. આતંકવાદીઓના બાકી રહેલા ઠેકાણાઓનો નાશ કરવાનો સમય આવી ગયો છે. ૧૪૦ કરોડ ભારતીયોની ઇચ્છાશક્તિ આતંકવાદી આકાઓની કમર તોડી નાખશે.