‘કમ સે કમ તમારી સહી તો તમિલમાં કરો’, રામેશ્વરમથી PM મોદીએ કોને આપ્યો સંદેશ?

PM Modi in Tamil Nadu: PM નરેન્દ્ર મોદીએ આજે રામેશ્વરમ ટાપુ અને જમીન વિસ્તાર વચ્ચે રેલ જોડાણની સુવિધા આપતા પમ્બન સી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું અને નવી રામેશ્વરમ-તંબરમ (ચેન્નઈ) ટ્રેન સેવાને લીલી ઝંડી આપી. પીએમ મોદીએ રામેશ્વરમમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો પણ શુભારંભ કરાવ્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે પંબન બ્રિજ વેપાર અને મુસાફરી બંનેને સરળ બનાવશે. નવા પંબન બ્રિજ પર ટ્રેનો વધુ ઝડપે દોડી શકશે અને મોટા જહાજો પણ સરળતાથી પસાર થઈ શકશે. તેમણે તમિલનાડુના કેટલાક નેતાઓ તમિલ ભાષામાં સહી ન કરવા પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું અને સંદેશ આપ્યો કે, તેમને કમ સે કમ તમિલમાં તો સહી કરે.
🚨 PM Modi takes veiled JIBE at MK Stalin amid ongoing language row.
"Sometimes, I am SURPRISED when I receive letters from some leaders of Tamil Nadu, none of them are SIGNED in the Tamil language." 🤯
"Atleast SIGN your name in Tamil." 🎯 pic.twitter.com/wBes9Z1W5F
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 6, 2025
પીએમ મોદીએ કહ્યું, “આજે દુનિયામાં ભારત પ્રત્યે આકર્ષણ વધ્યું છે.” લોકો ભારતને જાણવા માંગે છે. ભારતની સંસ્કૃતિ અને સોફ્ટ પાવર પણ આમાં મોટી ભૂમિકા ભજવે છે. સરકાર તમિલ ભાષા અને વારસો વિશ્વના દરેક ખૂણા સુધી પહોંચે તે માટે સતત પ્રયાસ કરી રહી છે. ક્યારેક મને આશ્ચર્ય થાય છે કે જ્યારે મને તમિલનાડુના કેટલાક નેતાઓના પત્રો મળે છે, ત્યારે ક્યારેક કોઈ નેતા તમિલ ભાષામાં સહી કરતા નથી. અરે, તમિલ પર ગર્વ કરો, હું દરેકને કહીશ કે કમ સે કમ પોતાનું નામ તમિલ ભાષામાં લખો.
પીએમ નરેન્દ્ર મોદીએ રામેશ્વરમમાં શાસક ડીએમકેનું નામ લીધા વિના તેના પર પ્રહારો કર્યા અને કહ્યું કે કેન્દ્ર દ્વારા તમિલનાડુની ફાળવણીમાં વધારો કર્યા પછી પણ, કેટલાક લોકો પૈસા માટે બૂમ પાડી રહ્યા છે. રાજ્ય સરકારને સંદેશ આપતાં પીએમ મોદીએ કહ્યું કે ગરીબોના લાભ માટે તમિલ માધ્યમમાં તબીબી શિક્ષણ પૂરું પાડવું જોઈએ. તમિલ ભાષા અને વારસાને વિશ્વના ખૂણે ખૂણે લઈ જવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે ભગવાન રામના સુશાસનને રાષ્ટ્ર નિર્માણનો પાયો ગણાવ્યો.