PM મોદીએ મોરેશિયસમાં ‘એક પેડ મા કે નામ’ પહેલ હેઠળ વૃક્ષારોપણ કર્યું

મોરેશિયસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આજે ​​એક પેડ મા કે નામ’ પહેલ હેઠળ મોરેશિયસના સર સીવુસાગુર રામગુલામ બોટનિકલ ગાર્ડનમાં એક વૃક્ષારોપણ કર્યું હતું. આ પહેલા તેમણે ગયાનાની તેમની મુલાકાત દરમિયાન પણ આવી જ પહેલ કરી હતી.

PM મોદીના અવિરત પ્રયાસોને કારણે આ પહેલ ભારતમાં 1 અબજથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વધુમાં તેની અસર ભારતની બહારના દેશોમાં પણ ફેલાઈ છે. આ પહેલ હેઠળ વિશ્વભરના લગભગ 136 દેશોમાં કુલ 27,500થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં પીએમ પોતે બે દેશોમાં વૃક્ષારોપણમાં ભાગ લઈ ચૂક્યા છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બે દિવસની મુલાકાતે મોરેશિયસ પહોંચ્યા છે. અહીં મોરેશિયસના PM નવીન રામગુલામ સહિત તમામ મંત્રીઓ તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. એરપોર્ટ પર ઉતર્યા પછી PM સૌપ્રથમ તેમના સ્વાગત માટે એકઠા થયેલા NRIને મળ્યા. આ સમય દરમિયાન અહીં રહેતી મહિલાઓએ બિહારી સંગીત ગાઈને PMનું સ્વાગત કર્યું. આજે મોરેશિયસમાં કેટલાક કાર્યક્રમોમાં ભાગ લીધા પછી 12 માર્ચે PM મુખ્ય અતિથિ તરીકે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં હાજરી આપશે. રસપ્રદ વાત એ છે કે મોરેશિયસનો રાષ્ટ્રીય દિવસ ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી સાથે જોડાયેલો છે.