PM કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જાહેર, 9.8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચ્યા

PM Kisan: PM નરેન્દ્ર મોદીએ આજે બિહારના ભાગલપુરથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના (પીએમ કિસાન) હેઠળ 19મો હપ્તો જાહેર કર્યો. દેશના 9.8 કરોડથી વધુ ખેડૂતોને તેમના ખાતામાં 2000 રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, પીએમ-કિસાન યોજના હેઠળ, દરેક લાભાર્થી ખેડૂતને દર ચાર મહિને 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે. પીએમ મોદીએ આજે 22,000 કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્સફર કર્યા. તેમજ વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને તેમને રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ પહેલા, આ ખાસ પ્રસંગે હાજર રહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું – અમારા માટે સૌભાગ્યની વાત છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જારી કર્યો.
#WATCH | Bihar | PM Narendra Modi says, "Earlier, farmers used to get lathi charge for urea, and there used to be black marketing of urea. Today, farmers get adequate manure. Even during the Corona crisis, we did not let farmers face the shortage of manure. What would have… pic.twitter.com/DOLXjCP9mU
— ANI (@ANI) February 24, 2025
વિકસિત ભારતના ચાર મજબૂત સ્તંભો
PMએ કહ્યું કે, વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવાની સાથે, બિહારની પવિત્ર ભૂમિ પરથી આપણા ખેડૂત બહેનો અને ભાઈઓના ખાતામાં પીએમ-કિસાનનો 19મો હપ્તો ટ્રાન્સફર કરતા મને ખૂબ ગર્વ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મેં લાલ કિલ્લા પરથી કહ્યું છે કે વિકસિત ભારતના ચાર મજબૂત સ્તંભ છે. આ આધારસ્તંભ ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો છે. એનડીએ સરકારની પ્રાથમિકતા ખેડૂતોનું કલ્યાણ છે. તેમણે કહ્યું કે આ વર્ષના બજેટમાં મખાનાના ખેડૂતો માટે મખાના બોર્ડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
#WATCH | Bihar | PM Narendra Modi says, "A farmer needs good seeds for farming, adequate and cheap fertilizers, irrigation facilities, protection of animals from diseases and protection from losses during disasters. Earlier, farmers were surrounded by problems regarding all these… pic.twitter.com/N0aKQDE8be
— ANI (@ANI) February 24, 2025
PM કિસાન વિશ્વની સૌથી મોટી આવી યોજનાઓમાંની એક છે
સમાચાર અનુસાર, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આ ફંડ ટ્રાન્સફર વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજનાઓમાંની એક છે. આ યોજનાનો ઉદ્દેશ્ય તમામ જમીનધારક ખેડૂત પરિવારોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 18મા હપ્તા સુધીમાં, 11 કરોડથી વધુ ખેડૂતોને 3.46 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. એક સમર્પિત PM-KISAN પોર્ટલ કાર્યક્ષમતા અને પારદર્શિતા સુનિશ્ચિત કરે છે, જ્યારે AI ચેટબોટ ‘કિસાન ઈ-મિત્ર’ ખેડૂતો માટે તાત્કાલિક પ્રશ્નોનું નિરાકરણ પૂરું પાડે છે.