કાળી પટ્ટી બાંધીને અદા કરી ઈદની નમાજ… ભોપાલમાં વકફ બિલ વિરુદ્ધ બાળકોએ પણ કર્યો વિરોધ

Madhya Pradesh: રવિવારે દિલ્હીમાં ઈદ-ઉલ-ફિત્રનો ચાંદ દેખાયા પછી દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઈદ ઉજવવામાં આવી રહી છે. દેશના મોટા શહેરોમાં મુસ્લિમો પોતપોતાના વિસ્તારોની મસ્જિદો અને ઈદગાહોમાં એકઠા થઈ રહ્યા છે અને ખાસ ઈદની નમાજ અદા કરવામાં આવી હતી. આ દરમિયાન મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં નમાઝીઓ દ્વારા વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું.

ભોપાલમાં લોકો હાથ પર કાળી પટ્ટી બાંધીને ઈદની નમાઝ અદા કરવા પહોંચ્યા હતા. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે બકફ બોર્ડ એમેન્ડમેન્ટ બિલના પ્રતિકાત્મક વિરોધ રૂપે નમાઝ દરમિયાન હાથ પર કાળી પટ્ટી બાંધવાની હાકલ કરી હતી. આ જ કારણ છે કે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક લોકો કાળી પટ્ટી પહેરીને નમાઝ અદા કરવા આવ્યા હતા.

શુક્રવારે પણ વિરોધ જોવા મળ્યો હતો
વકફ બિલને લઈને દેશભરમાં ઘણી જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે. તમામ ઈસ્લામિક સંગઠનો આ બિલનો વિરોધ કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. રાજધાની ભોપાલમાં રમઝાનની છેલ્લી નમાઝ દરમિયાન પણ વકફ બિલનો વિરોધ જોવા મળ્યો હતો. આ નમાઝમાં મોટી સંખ્યામાં બાળકોએ પણ ભાગ લીધો હતો. તેમના હાથમાં બ્લેક બેન્ડ અને પ્રોટેક્ટ પેલેસ્ટાઈનના બેનરો અને પોસ્ટરો પણ હતા. બોર્ડનું કહેવું છે કે જો આ બિલ પસાર થઈ જશે તો મસ્જિદો, દરગાહ, મદરેસા, કબ્રસ્તાન અને અન્ય ઘણી સંસ્થાઓ તેમના હાથમાંથી છીનવાઈ જશે.

આ પણ વાંચો: નાટોમાં જોડાયા પછી યુક્રેને બદલી હુમલાની પેટર્ન, રશિયામાં મચાવી તબાહી

શું છે વક્ફ સુધારા બિલ?
નવા બિલ મુજબ, જમીનનો દાવો કરનાર વ્યક્તિ ટ્રિબ્યુનલ સિવાય રેવન્યુ કોર્ટ, સિવિલ કોર્ટ અથવા હાઈકોર્ટમાં અપીલ કરી શકશે. હવે વક્ફ ટ્રિબ્યુનલના નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરી શકાશે. જ્યાં સુધી કોઈએ વકફને જમીન દાનમાં ન આપી હોય, તેના પર મસ્જિદ બનાવવામાં આવે તો પણ તે વકફની મિલકત નહીં ગણાય. વકફ બોર્ડમાં 2 મહિલાઓ અને 2 અન્ય ધર્મના સભ્યોને પ્રવેશ મળશે. આ તમામ ફેરફારોનો વિરોધ થઈ રહ્યો છે.