September 10, 2024

ગાઝામાં ભૂખથી તડપીને મરી રહ્યા છે લોકો, ઈઝરાયલ મંત્રીએ કહ્યું- ‘આ બિલકુલ બરાબર થઈ રહ્યું છે’

GaZa: ગયા વર્ષે હમાસે મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઓક્ટોબરમાં શરૂ થયેલા આ યુદ્ધમાં ગાઝા અને ઈઝરાયેલમાં ઘણા લોકોના મોત થયા હતા. ગાઝામાં હાલની સ્થિતિ ખૂબ જ દયનીય છે. ત્યાં ભૂખમરાની સ્થિતિ છે અને ગાઝાની સ્થિતિ પર ઇઝરાયલના મંત્રીની ટિપ્પણીથી યુરોપિયન યુનિયનમાં ગુસ્સાનું વાતાવરણ છે.

ગાઝામાં લગભગ 20 લાખ લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે. જેના પર ઈઝરાયલના નાણા મંત્રી બેઝાલેલ સ્મોટ્રીટે આ સ્થિતિને ન્યાયી અને નૈતિક ગણાવી છે. આ અઠવાડિયે એક કોન્ફરન્સમાં બોલતા સ્મોટ્રિટે કહ્યું કે બંધકોને મુક્ત કરવા માટે એક મિલિયન લોકોને ભૂખે મરવા તે ન્યાયી અને નૈતિક છે. પરંતુ વિશ્વમાં કોઈ પણ અમને તે કરવાની મંજૂરી આપશે નહીં. ગાઝાના લોકો માટે માનવતાવાદી સહાય અંગે તેમણે કહ્યું કે અમે માનવતાવાદી સહાય લાવી રહ્યા છીએ કારણ કે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.

ઈઝરાયલના મંત્રીના નિવેદન પર ગુસ્સો ફેલાઈ ગયો
પરિસ્થિતિ વિશે વાત કરતા સ્મોટ્રિટે કહ્યું કે અમે હાલમાં એવી પરિસ્થિતિમાં છીએ જ્યાં આ યુદ્ધને આગળ વધારવા માટે આંતરરાષ્ટ્રીય કાયદેસરતાની જરૂર છે. ઈઝરાયલના મંત્રીની આ ટિપ્પણી પર આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ઘણો ગુસ્સો છે. યુરોપિયન યુનિયને આ ટિપ્પણીને લઈને કહ્યું છે કે નાગરિકોને જાણી જોઈને ભૂખે મારવા એ યુદ્ધ અપરાધ છે. તેમણે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે ઈઝરાયેલ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય કાયદા અને માનવતાના સિદ્ધાંતોનો અનાદર દર્શાવે છે. આ પછી યુરોપિયન યુનિયનએ ફરી એકવાર તાત્કાલિક યુદ્ધવિરામ માટે તેના આહ્વાનને પુનરાવર્તિત કર્યું છે. જેમાં તે ગાઝાના લોકો માટે બંધકોને મુક્ત કરવાની અને સહાયની માંગ કરે છે. ઈઝરાયેલના મંત્રીના આ નિવેદનની ફ્રાન્સ અને બ્રિટને પણ ટીકા કરી છે.

ફ્રાન્સ અને બ્રિટને પણ નિંદા કરી છે
ફ્રાન્સે આવી ટિપ્પણી પર નિરાશા વ્યક્ત કરતા કહ્યું છે કે ગાઝામાં માનવતાવાદી સહાય પૂરી પાડવી એ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા હેઠળ ફરજ છે. બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ લેમીએ પણ તેની નિંદા કરી છે. ગત વર્ષે એટલે કે ઓક્ટોબર 2023માં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા બાદ ગાઝામાં માનવીય સ્થિતિ ખૂબ જ ગંભીર છે. આ યુદ્ધને કારણે લાખો લોકો વિસ્થાપિત થયા છે અને લગભગ 25 લાખ લોકો ભૂખમરામાંથી પસાર થઈ રહ્યા છે. 7 ઓક્ટોબરના રોજ હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ હમાસના આતંકવાદીઓએ 251 ઈઝરાયેલને બંધક બનાવ્યા હતા. જેમાંથી 111 લોકો હજુ પણ હમાસના કેદમાં છે અને ઈઝરાયલના જણાવ્યા અનુસાર 39 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો: હિંદુઓને બચાવવા કોઈ નથી, બાંગ્લાદેશની હાલત સીરિયા જેવી: સાજિબ વાજેદ

આ 10 મહિનામાં ઈઝરાયલમાં અત્યાર સુધીમાં 1,198 લોકોના મોત થયા છે. હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગાઝા પર ઈઝરાયેલના હુમલામાં 39 હજારથી વધુ લોકોના મોત થયા છે. પરંતુ મંત્રાલયે સ્પષ્ટ કર્યું નથી કે તેમાંથી કેટલા આતંકવાદી છે અને કેટલા નાગરિક છે.