કૃણાલ પંડ્યાએ ચમત્કારિક કેચ પકડ્યો, વિરાટ કોહલીનું રિએક્શન થયું વાયરલ

IPL 2025ની 37મી મેચ ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ વચ્ચે રમાઈ રહી છે. પંજાબ કિંગ્સની ટીમ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 157 રનનો સ્કોર બનાવ્યો હતો. આટલો ઓછો રન સ્કોર બનાવવાનો શ્રેય RCB ટીમના બે સ્પિન બોલરો કૃણાલ પંડ્યા અને સુયશ શર્માને જાય છે. RCB ની ફિલ્ડિંગ દરમિયાન, વિરાટ કોહલીનો મેદાન પર એક સંપૂર્ણપણે અલગ પ્રકારનો અંદાજ જોવા મળ્યો હતો. આ એ સમયે અંદાજ જોવા મળ્યો હતો જ્યારે શ્રેયસ ઐયર આઉટ થયો હતો. આ સમયે વિરાટનું એવું રિએક્શન હતું કે જેને જોઈને તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આવો જાણીએ કે વિરાટે આવું રિએક્શન કેમ આપ્યું.

આ પણ વાંચો: One Nation One Election ર ચર્ચા કરવા માટે દિલ્હી ભાજપ કાર્યાલયમાં બેઠક શરૂ, આ નેતાઓ હાજર રહ્યા

કૃણાલે શાનદાર કેચ પકડ્યો
RCB સામેની મેચમાં પંજાબ કિંગ્સને 68 રનના સ્કોર પર શ્રેયસ ઐયરે રોમારિયો શેફર્ડ સામે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. આ બોલ સીધો હવામાં ગયો હતો.ગ ઓન પર ફિલ્ડિંગ કરી રહેલા કૃણાલ પંડ્યાએ બોલ તરફ દોડીને દોડીને કેચ પકડી લીધો હતો. જેને જોઈને તમામ ચોંકી ગયા હતા. કૃણાલે કેચ પકડતાની સાથે જ રોમારિયો શેફર્ડ સાથે ઉભેલા વિરાટ કોહલીએ આ વિકેટની ઉજવણી અલગ અંદાજમાં કરી હતી. તે સીધો શેફર્ડ પાસે કૂદી ગયો અને તેને ગળે લગાવી દીધો હતો. આ મેચમાં શ્રેયસ ઐયરે ઓનલી 10 બોલમાં 6 રન બનાવ્યા હતા.