પરબધામના સંત કરસનદાસ બાપુને આવ્યો હાર્ટએટેક, રાજકોટની સીનર્જી હોસ્પીટલમાં દાખલ

રાજકોટ: પરબધામ આશ્રમના મુખ્ય મહંત કરસનદાસ બાપુને હાર્ટએટેક આવ્યો છે. જેને લઈ સારવાર માટે રાજકોટની સીનર્જી હોસ્પીટલમાં દાખલ કરાયા છે. હાર્ટની નળીઓ બ્લોક થતાં સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે.
આ અંગે ડો.જયેશ ડોબરીયાએ ટેલિફોનીક નિવેદન આપતા જણાવ્યું હતું કે, હાલ કરશનદાસ બાપુની સારવાર ચાલી રહી છે. તેમના પ્લસ પણ ઘટ્યા છે. તબિયત સુધારવા ડોક્ટરોના પ્રયત્નો ચાલુ છે. ત્યારે હાલમાં કોઈ ભક્તો હોસ્પીટલ ખાતે ન આવે તેવી વિનંતી પણ કરી હતી.