IPL 2025: ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ગુસ્સે ભરાયું, નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની આપી ધમકી

IPL 2025: ભારતીય સેનાએ પહેલગામમાં માર્યા ગયેલા 26 નિર્દોષ પ્રવાસીઓનો બદલો લેવાનું શરૂ કરી દીધું છે. ભારત એક પછી એક પાકિસ્તાનને જવાબ આપી રહ્યું છે. ભારતીય સેના દ્વારા આપવામાં આવેલા કડક જવાબથી પડોશી દેશ પાકિસ્તાનમાં ડર જોવા મળી રહ્યો છે. આ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર પર Rajnath Singhએ આપ્યું મોટું નિવેદન, કહી આ મોટી વાત

હુમલો કરવાની ધમકીભર્યો મેઇલ મળ્યો
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી છે. આવું થતાની સાથે અમદાવાદ પોલીસ એલર્ટમાં જોવા મળી રહી છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સત્તાવાર ઇમેઇલ પર સ્ટેડિયમ પર હુમલો કરવાની ધમકીભર્યો મેઇલ મળ્યો છે. આ ઇમેઇલ આવતાની સાથે જ બધી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. તેની સાથે સાથે સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.