ભારતે સિંધુ નદી જળ સંધિ મુલતવી રાખી, પાકિસ્તાને શું કર્યું તે જાણીને તમે હસી પડશો

Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે કડક કાર્યવાહી કરી છે. સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે. ભારતે આ પગલું ભર્યું પછી પાકિસ્તાને શું કર્યું તે જાણીને તમે કદાચ હસી પડશો. પાકિસ્તાન સરકારે વિવાદાસ્પદ ચોલિસ્તાન કેનાલ પ્રોજેક્ટને રોકવાનો નિર્ણય લીધો છે. સમજવા જેવી વાત એ છે કે જ્યારે પાણી જ નહીં હોય તો નહેર બનાવ્યા પછી પણ પાકિસ્તાન શું કરશે?
આ પણ વાંચો: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, 6 સફાઈ કર્મચારીઓ મોત
સિંધમાં હંગામો થયો
ભારતે સિંધુ જળ સંધિ રદ કર્યા પછી, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીને મળ્યા હતા. આ પછી નહેર પ્રોજેક્ટ બંધ કરવા સંમતિ આપી હતી. બંને પક્ષ એ વાત પર સંમત થયા કે પ્રાંતો વચ્ચેના વિવાદોનો સામનો કરવા માટે ઉચ્ચ સ્તરીય આંતર-પ્રાંતીય સંસ્થા, સામાન્ય હિત પરિષદમાં આ મુદ્દા પર સર્વસંમતિ ન થાય ત્યાં સુધી વિવાદાસ્પદ નહેર પ્રોજેક્ટ સ્થગિત રહેશે.