પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે કર્યું ‘મિસાઈલ પરીક્ષણ’

Pahalgam Attack 2025: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. નૌકાદળે એક શક્તિશાળી મિસાઇલ પરીક્ષણ કર્યું છે. INS સૂરત દુશ્મન મિસાઇલોને પોતાની જાતે ઓળખી કાઢવા અને તેને હવામાં કે પાણીમાં તોડી પાડવા સક્ષમ છે.

આ પણ વાંચો: ભારતે સિંધુ નદી જળ સંધિ મુલતવી રાખી, પાકિસ્તાને શું કર્યું તે જાણીને તમે હસી પડશો

મિસાઇલ પરીક્ષણ
ભારતીય નૌકાદળે જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલનું પરીક્ષણ કર્યું હોવાનું સામે આવ્યું છે. ભારતીય નૌકાદળના નવીનતમ સ્વદેશી મિસાઇલ વિનાશક INS સુરતે સમુદ્રમાં લક્ષ્યને સફળતાપૂર્વક હિટ કર્યું હતું. ભારતીય નૌકાદળે એક એક્સ-પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું કે આ આપણી સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવામાં વધુ એક સીમાચિહ્નરૂપ સાબિત થયું.’ આત્મનિર્ભર ભારત માટે આ ગર્વની ક્ષણ છે. પાકિસ્તાન દ્વારા મિસાઇલ પરીક્ષણ કરવાની ઉતાવળ વચ્ચે ભારતે આ કાર્યવાહી કરી છે. આ પરીક્ષણ પછી, ભારતે એક મજબૂત સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. એક અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે જો દુશ્મન હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હોય, તો હુમલાની સ્થિતિમાં, INS સુરત પોતે જ દુશ્મન મિસાઇલોને ઓળખી કાઢવા અને તેમને હવામાં કે પાણીમાં તોડી પાડવા સક્ષમ છે.