BJP મંદિર સેલના 100થી વધુ લોકો AAPમાં જોડાયા, કેજરીવાલ ‘સનાતન સેવા સમિતિ’ શરૂ કરશે

BJP temple cell members: BJP મંદિર સેલના 100થી વધુ સભ્યો AAPમાં જોડાયા છે. દિલ્હીમાં AAPના નેતા અરવિંદ કેજરીવાલે તેમને સદસ્યતા આપી છે. વિજય શર્મા, જીતેન્દ્ર શર્મા, બ્રજેશ શર્મા, દુષ્યંત શર્મા અને ઉદયકાંત ઝા પણ AAPમાં જોડાયા છે. નોંધનીય છે કે, કેજરીવાલની હાજરીમાં બીજેપીના મંદિર સેલના 100થી વધુ સભ્યો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ દરમિયાન કેજરીવાલે સનાતન સેવા સમિતિના મંચ પરથી કાર્યક્રમને સંબોધિત પણ કર્યો હતો.
पूरी दिल्ली के पुजारीगण हमारा समर्थन कर रहे हैं, हमें आशीर्वाद दे रहे हैं। @ArvindKejriwal जी LIVE https://t.co/H91C8cnABb
— AAP (@AamAadmiParty) January 8, 2025
કેજરીવાલે શું કહ્યું?
અરવિંદ કેજરીવાલે કહ્યું, ‘આજે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે આવા મહાન ઋષિ-મહાત્માઓ મંચ પર બેઠા છે. જે પણ કંઇક કરે તે ભગવાન જ કરે છે. અમે તો માત્ર એક નિમિત છીએ. દિલ્હીમાં શિક્ષણ, વીજળી અને આરોગ્યમાં ક્રાંતિ લાવી. બધું ભગવાનની કૃપાથી હતું. મને સનાતન માટે 24 કલાક કામ કરતા પૂજારીઓની સેવા કરવાનો મોકો મળ્યો. આ માટે હું ભગવાનનો આભાર માનું છું. આપણે જે પણ કહીએ છીએ તે ચોક્કસ કરે છે. રઘુકુળની પરંપરા હંમેશા ચાલુ રહેવી જોઈએ, પ્રાણ જાય પણ વચન ના જાય.
દિલ્હીમાં ચૂંટણીની તારીખો જાહેર
ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. દિલ્હીમાં 70 સીટોવાળી વિધાનસભા માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને તેના પરિણામો 8 ફેબ્રુઆરીએ આવશે. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. દિલ્હીમાં મુખ્ય મુકાબલો આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે.